________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૯]
કુમાર ધૃતિબળ એક મહિનાનો થયો હતો.
રાજમહેલમાં એક મહિનાથી મહોત્સવનું વાતાવરણ હતું. સહુનાં મન આનંદિત હતાં. સહુનાં ચિત્ત પ્રસન્ન હતાં. નગરની મહિલાઓનાં મુખે રનવતી અને ગુણચંદ્રનાં ગુણગાન હતાં. મહારાજા મૈત્રીબળ અને મહારાણી પદ્માવતીનાં ભાગ્યની પ્રશંસા થતી હતી.
મહારાણી પદ્માવતીએ મહારાજાના ખંડમાં પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કરી, રાણી મહારાજાનાં ચરણોમાં બેસી ગયાં.
મને કેમ બોલાવી?” રાણીએ શાન્તિથી પૂછ્યું. તૈયારી કરવા....” શાની તૈયારી?” “મોક્ષમાર્ગે ચાલવાની! કેમ ભૂલી ગયાં તમે?” એટલે?” હવે ગૃહત્યાગનો સમય થઈ ગયોમારી પૌત્રના મુખદર્શનની ઇરછા પૂર્ણ થઈ ગઈ.”
હવે વાત સમજાઈ.... ગૃહત્યાગ પૂર્વે ગુણચંદ્રનો રાજ્યાભિષેક કરવો પડશે ને? આપે કુમારને વાત કરી? રત્નાવતીને વાત કરી? એ બધાંને વાત કરો... હું તો તૈયાર
આજે સર્વપ્રથમ હું કુમારને અને મંત્રીમંડળને વાત કરું છું. તમે રત્નાવતીને વાત કરો... સાધ્વીજીને અહીં સ્થિરતા કરવા વિનંતી કરો...'
મહારાજા પાસેથી ઊઠીને, રાણી રનવતી પાસે ગયાં. મહારાજાએ કુમાર ગુણચંદ્રને બોલાવ્યો. કુમાર આવ્યો. પિતાજીનાં ચરણે પ્રણામ કરીને, તે ચરણોમાં જ બેઠો. વાતનો પ્રારંભ મહારાજાએ જ કર્યો: “વત્સ, તારો રાજ્યાભિષેક કરવાનો મેં નિર્ણય કર્યો છે..”
શી ઉતાવળ છે પિતાજી?” “વત્સ, તને જરાય ઉતાવળ નથી રાજ્યસિંહાસને બેસવાની, પરંતુ ગૃહત્યાગ કરવાની અમને બંનેને ઉતાવળ છે...”
“ગૃહત્યાગ? એટલે?” “બેટા, હવે તે રાજ્યની સુરક્ષા કરવા અને પ્રજાનું પાલન કરવા યોગ્ય બન્યો. હવે મારી જવાબદારી પૂરી થઈ. હવે મારે મારા આત્માનું કલ્યાણ કરવું જ જોઈએ..
૧૨90
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only