________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19637
ધ્યાનો સમય હતો. મહારાજા ગુણચંદ્ર મહેલની પશ્ચિમ દિશાના ઝરૂખામાં ઊભા હતાં. એમની દષ્ટિ ક્ષિતિજ તરફ હતી. ઝરૂખામાંથી અસ્ત થતો સૂર્ય બરાબર દેખાતો હતો. સૂર્ય અસ્ત થયો હતો અને સંધ્યા ખીલી હતી. તન્મય બનીને, મહારાજા ગુણસેન એ દૃશ્ય પર ગંભીર વિચારમાં ડૂખ્યા હતાં. ત્યાં એમના કાને શબ્દો પડ્યા: “નાથ” મહારાજાએ રત્નાવતી સામે જોયું. આપણે ઉદ્યાનમાં નથી જવું? રથ તૈયાર ઊભો છે!”
આપણે પ્રભાતે... સૂર્યોદય પહેલાં ઉદ્યાનમાં જઈશુંઅને નદીકિનારે પણ જઈશું...”
“જેવી આપની ઇચ્છા. હું રથને રથ શાળામાં લઈ જવાનું કહીને આવું છું.' રત્નાવતીએ દ્વારપાલને સૂચના આપી અને એ પાછી આવી. રાજા ગુણસેન હજુ એ ઝરૂખામાં જ ઊભા હતાં. રત્નાવતીએ ત્યાં એક ભદ્રાસન ગોઠવ્યું. ખંડમાં દાસી આવીને, દીપકો મૂકી ગઈ. મહારાજા ભદ્રાસન પર બેઠા. રત્નાવતી એમની નજીક, જમીન પર પાથરેલા ગાલીચા પર બેઠી.
‘દેવી, જ્યારે જ્યારે આવાં પ્રકૃતિનાં દૃશ્યો જોઉં છું ત્યારે ત્યારે મન વિરક્તિથી ભરાઈ જાય છે... અંતરાત્મા આ બધાં બાહ્ય-આંતરિક બંધનોમાં અકળાય છે... દૂર દૂર એકલોઅટૂલા ચાલ્યાં જવાનો મનમાં વલોપાત જન્મે છે. પરંતુ આ ભાવો હજુ સ્થિરતા નથી પકડતાં..”
નાથ, સાધ્વીજી આત્માની સમકિત દૃષ્ટિ આવી જ સ્થિતિ વર્ણવતાં હતાં... સમકિત દૃષ્ટિ આત્મા અંદરથી ભોગી હોય, બહારથી યોગી હોય. એ ભોગસુખો. ભોગવે ખરી, એનાં જ એવા પ્રકારનાં કર્મો, એને ભોગસુખ ભોગવવા વિવશ કરે, એનામાં મોહની ઉત્તેજના પેદા થાય.. પરંતુ ભોગસુખો ભોગવ્યાં પછી એ તરત જ શાન્ત થઈ જાય અને તાત્ત્વિક દૃષ્ટિએ ચિંતન કરતો થઈ જાય. એના વિરક્તિના ભાવ લાંબા સમય ટકતા નથી અર્થાત્ ભીતરમાં તો વિરક્તિનો એક પ્રવાહ વહેતો જ રહે છે, પરંતુ બહારથી એની ઇન્દ્રિયો એના વિષયો તરફ ખેંચાયા કરે. આપ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો, એવું નથી લાગતું?”
એવું જ લાગે છે દેવી, પરંતુ તેથી જ આંતરસંઘર્ષ ચાલે છે ને? જે વૈષયિક સુખોને હું ત્યાજ્ય સમજું છું, ક્યારેક એ સુખોનો તિરસ્કાર કરું છું... એ સુખો મને ક્યારેક ગમે છે, એ સુખો મને આકર્ષે છે. અને હું એ સુખોને ભોગવું છું. હું સમજું ૧૨૭
ભાગ-૩ # ભવ આઠમો
For Private And Personal Use Only