________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરવાનો. બસ, મુખ્ય વિધિ આટલો છે! રત્મવતીએ પૂછ્યું: “હે ભગવતી, નવકાર મહામંત્રનો જાપ કરતી વખતે મને એ મહામંત્રમાં જ જોડાય, તે માટે શું કરવાનું?”
એ હું જાપ કરતી વેળાએ માર્ગદર્શન આપીશ, પરંતુ મુખ્ય વાત એક જ છે.. દુનિયાના પદાર્થો પ્રત્યેની આસક્તિ છૂટી જવી જોઈએ. પછી મનને મંત્રમાં સ્થિર થતાં વાર નહીં લાગે.
0 0 0 અયોધ્યામાં વર્ષાવાસ કરવા આવવાનું કહીને, સાધ્વીજી સુસંગતાએ વિહાર કર્યો હતો. તેઓને વિદાય આપવા અયોધ્યાનાં સેંકડો સ્ત્રી-પુરુષો ગયાં હતાં, તેમાં મુખ્ય હતા યુવરાજ અને યુવરાજ્ઞી. સાધ્વીજીના વિહાર પછી, ૪-૫ દિવસ તો રત્નાવતીને સૂનું સૂનું લાગ્યું... પછી કુમારની સાથેની વાતોમાં અને તત્ત્વચર્ચામાં એનું મન લાગ્યું.
એક દિવસ તેણે કુમારને કહ્યું: “લાખ નવકારમંત્રની આરાધના માટે, હું માતાજીને વાત કરું? એમના જીવનમાં એક મોટું સુકૃત થઈ જાય.’
વાત કર. જો માતાજીની ઇચ્છા થાય તો ઘણું સારું છે. બાકી માની જિંદગી રાજમહેલની ખટપટોમાં પસાર થઈ છે.’
“પિતાજી તો એટલો સો દિવસનો સમય નહીં કાઢી શકે. તેમને તો રાજ કાર્યમાં વ્યસ્ત રહેવું જ પડે છે...' “પિતાજી કરી શકે આરાધના, જો હું એમનાં કાર્યો મારાં માથે ઉપાડી લઉં તો!”
“ના, ના, આપના વિના તો મને આરાધનામાં આનંદ જ નહીં આવે. આપે તો કરવાની જ છે!”
માતાજીને પણ હમણાં વાત કરવાની જરૂર નથી. જ્યારે આપણે કરવાની હશે ત્યારે બે દિવસ પહેલાં જ કરજે... એ આરાધના કરે તો મને ખૂબ ગમશે!'
સાધ્વીજીનો આવો સંયોગ મળ્યો છે... કે જે ઘણો દુર્લભ છે, તો આવી મહાન ધર્મારાધના કરી લેવી જોઈએ. વળી મારે તો કાલે રાજ્યની જવાબદારી આવવાની પછી ઘણા દિવસોની નિવૃત્તિ નહીં મળી શકે. માટે મારે તો આરાધના કરી જ લેવી
રનવતીએ કહ્યું: જ્યારે સુસંગતા રાણી હતાં અને મહારાજાએ દેવીકૃત ભ્રમણામાં ભ્રમિત થઈ, ઘરમાંથી કાઢી મૂકેલાં ત્યારે ગુફામાં “સાધ્વીજી સુસંગતાને, સુગ્રહિત નામના આચાર્યદેવે, શ્રી નવકારમંત્રની જ આરાધના આપી હતી. એમના નવ નવ જન્મનો વૃત્તાંત એમના જ મુખે સાંભળીને... હું તો સડક થઈ ગઈ હતી. આજે રાત્રે આપને એ કથા સંભળાવીશ.”
૧૨
ભાગ-૩ ૪ ભવ આઠમ
For Private And Personal Use Only