________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાણી વગેરે રાણીઓ પાસે દાન દેવડાવવાનું શરૂ કર્યું. ક શ્રેષ્ઠીઓ દ્વારા તમામ મંદિરોમાં મહોત્સવ મંડાવ્યાં.
મંત્રીમંડળ દ્વારા કુમારના રાજ્યાભિષેકની તૈયારીઓ કરાવી. છે. બીજી બાજુ, મહારાજા પ્રત્યે, અનન્ય સ્નેહ ધરાવનારા સામંત રાજાઓએ મહારાજાની સાથે જ ચારિત્રધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો.
મારી સાથે બધી જ રાણીઓએ દીક્ષા લેવાની તૈયારી કરવા માંડી.. જ કેટલાક અંગત મંત્રીઓએ પણ મહારાજાની સાથે જ ચારિત્રધર્મ સ્વીકારવાનો નિર્ણય કર્યો.
નગરમાં જ નહીં, સંપૂર્ણ કોશલ દેશમાં, અમારી દીક્ષાની વાત પ્રસરી ગઈ. નાના-મોટા આજ્ઞાંકિત રાજાઓ અને શ્રેષ્ઠીઓ રાજધાનીમાં આવવા લાગ્યા. સહુ મહારાજાને ધન્યવાદ આપવા લાગ્યાં... રાજધાની સંપૂર્ણ શણગારવામાં આવી હતી. આચાર્ય ભગવંત નગરની બહાર ઉદ્યાનમાં પધારી ગયાં હતાં.
રાજ્યાભિષેક મંગલ મુહૂર્ત થઈ ગયો. મહોત્સવનો છેલ્લો દિવસ આવી ગયો.
શુભ દિવસે ને શુભ મુહૂર્તે, અમે વિધિપૂર્વક ચારિત્રધર્મ સ્વીકાર્યો. અમારી સાથે અનેક રાજાઓ, રાણીઓ, શ્રેષ્ઠીઓ, પ્રધાનો વગેરેએ પણ સંસારત્યાગ કર્યો.... હે રનવતી, એ દિવસનું વર્ણન કરવા માટે શબ્દો નથી જડતા! અમે સહુએ ત્યાંથી વિહાર કર્યો.
૦ ૦ ૦. સાધ્વી સુસંગતાએ પોતાનો જીવનવૃત્તાંત પૂર્ણ કરતાં કહ્યું :
હે રત્નવતી, એક નજીવા પાપાચરણના કારણે, મારે કેવાં દાણ દુઃખ અનુભવવા પડ્યાં? જો મોટાં પાપાચરણ હોત તો નારકીમાં જવું પડત. નારકીનાં ઘોર દુઃખ સહન કરવો પડત. માટે પહેલું કામ પાપચરણોનો ત્યાગ કરવાનું કરવું આવશ્યક છે. સર્વ પ્રકારનાં દુઃખોનું મૂળ કારણ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ અને આરંભસમારંભ છે. ક્રોધ, માન, માયા અને લોભ છે. વિષય, કષાય અને પ્રમાદ છે.”
સાધ્વીજી મૌન થયાં. રત્નવતીએ ભાવવિભોર થઈને કહ્યું: “હે ભગવતી, આપે કહ્યા મુજબ આ સંસાર ખરેખર દુઃખમય છે. આપે ગૃહવાસનો ત્યાગ કરીને કૃતાર્થતા પ્રાપ્ત કરી છે. સંસારના લેશોથી મુક્તિ પ્રાપ્ત કરી છે. આપ ધન્ય બની ગયાં છો. આપનાં દર્શન પામીને, હું પણ ધન્યતા અનુભવું છું. હવે હું માનું છું કે હું અભાગણી નથી, ભાગ્યવંતી છું. અભાગીને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થતું નથી! આપ મને સહજતાથી મળી ગયાં... હું માનું છું કે મને ચિંતામણિ રત્ન મળી ગયું! આજથી આપ જ મારાં ગુરુ છો. આપ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૪૯
For Private And Personal Use Only