________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧૮૭11
સાધ્વીજીએ કહ્યું:
આચાર્યદેવ મુનિર્વાદ સાથે પહાડ પરથી ચાલ્યાં ગયાં પછી, હું પાસેની બીજી ગુફામાં ગઈ. આચાર્યદેવે મને એ ગુફામાં રાત્રિ વ્યતીત કરવાની આજ્ઞા કરી હતી.
જોકે ગુફામાં અંધારું હતું, પરંતુ ગુફાની છતમાં ત્રણ-ચાર જગ્યા પોલી હતી, મેં વિચાર્યું: “શુક્લપક્ષ છે. જ્યારે આકાશમાં ચંદ્ર આવશે ત્યારે છતમાંથી એનો પ્રકાશ જરૂર આવશે.” આમેય મને અંધારામાં ભય લાગતો હતો. છતાં આચાર્યદેવે મને આપેલા નમસ્કાર મહામંત્ર ઉપર દૃઢ વિશ્વાસ થઈ ગયો હતો. આચાર્યદેવે મને કહ્યું હતું:
“હે ભદ્ર, આ મહામંત્રના ચિંતન કરવા માત્રથી અગ્નિ બુઝાઈ જાય છે અને પાણીનું પૂર ઓસરી જાય છે. ચોર અને શત્રુઓ ભાગી જાય છે, મહામારી જેવા રોગો શાંત થઈ જાય છે, અને રાજાઓ દ્વારા થતા ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે.
છે જે ભવ્ય જીવાત્મા એકચિત્તે ભાવપૂર્વક આ મહામંત્રનું સ્મરણ કરે છે, તે દશે દિશાઓને પોતાના પરમ તેજથી પ્રકાશિત કરતો કરતો મોક્ષમાં જાય છે! તેના જન્મમરણના ફેરા ટળી જાય છે,
આ મહામંત્ર, પરમ મંત્ર છે, પરમ રહસ્ય છે, પરાત્પર તત્ત્વ છે, પરમ જ્ઞાન છે, પરમ શેય છે, શુદ્ધ ધ્યાન છે અને સર્વશ્રેષ્ઠ ધ્યેય છે. - આ મહામંત્ર પરમ અભેદ્ય કવચ છે. પરમ ખાતિકા છે, પરમ જ્યોતિ છે, પરમ શૂન્ય છે. પરમ બિંદુ છે, પરમ વાદ છે, પરમ તારા છે, પરમ લવ છે અને પરમ માત્રા છે!
આચાર્યદેવે મને કહ્યું હતું:
છે ટઆ મહામંત્રના પ્રથમ પદમાં રહેલા અરિહંત પરમાત્માનું ધ્યાન તું આ રીતે કરજે - ત્રણ ગઢવાળા પ્રકાશિત સમવસરણની મધ્યમાં બિરાજમાન, ચોસઠ ઇન્દ્રોથી પૂજાતાં, જેમના મસ્તક પર ત્રણ છત્ર છે, જ્યાં પુષ્પવૃષ્ટિ થાય છે, જેમના ઉપર અશોકવૃક્ષની છાયા છે, જેઓ સિંહાસન પર બિરાજિત છે, બંને બાજુ દેવો ચામર ઢાળે છે. જેમના મસ્તકની પાછળ ભામંડળ છે... દેવદુંદુભિ વાગી રહી છે... અને દિવ્ય ધ્વનિ થઈ રહ્યો છે.. સુવર્ણ જેવી દેહકાન્તિવાળા તીર્થંકર પરમાત્માનું ધ્યાન કરજે. તીર્થંકર પરમાત્માને તારા હૃદયમાં સાક્ષાત્ બિરાજમાન જોજે. તેમનામાં મન જોડીને, મહામંત્રનો જાપ કરજે! છે આ નમસ્કાર મહામંત્ર, મંત્રરાજ છે એ સમગ્ર ઘન-ઘાતી કર્મોનાં પ્રગાઢ
ભાગ-૩ + ભવ આઠમાં
૧૨80
For Private And Personal Use Only