________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પિતાજી, આપ બંધુસુંદરીને કેવી રીતે જાણો?”
એનાં લગ્ન મેં જ કરાવી આપ્યાં હતાં. એ કુંવારી હતી ત્યારથી એને હું ઓળખું છું. એને ધર્મ ગમતો જ નથી. એ હંમેશાં રંગરાગ અને ભોગવિલાસમાં આળોટે છે... એને પતિ પણ એવો જ મળેલો છે. એ પણ અતિ કામાસક્ત છે. અતિ સ્ત્રીલંપટ છે... માટે તને એના ઘરે જવાની ના પાડું છું...”
“પિતાજી, આપની વાત સાચી હશે, પરંતુ આટલા દિવસોમાં યશોદાસે મને અડપલું પણ કર્યું નથી. મારી સામે ખરાબ દૃષ્ટિથી જોયું પણ નથી..”
આજે નહીં તો કાલે.. એ યુવાન સ્ત્રીઓનો રસિયો છે. સ્ત્રીઓને પોતાના મોહપાશમાં ફસાવવામાં હોશિયાર છે. હજુ તને બંધુસુંદરીએ પોતાની અંતરંગ વાત નથી કરી.. એ ભલે બહારથી હસે, રમે કે નાચે. અંદરથી દુઃખી છે...'
“પિતાજી, આપે મને સાવધાન કરી, તે સારું કર્યું. હવે હું યશોદાસથી સાવધાન રહીશ. બંધુસુંદરીની અંતરંગ વાત જાણીશ...”
જાણવામાં કોઈ સાર નથી, બેટી! આ સંસાર માટીની કોઠી જેવો છે... ધોવા જાવ તો માટી જ નીકળ્યા કરે! માટે મારી ઈચ્છા તો એ જ છે કે તું એની મૈત્રી તોડી દે, એના ઘરે જવાનું છોડી દે..”
ચંદ્રયશાએ ઉત્તર ના આપ્યો. એ બંધુસુંદરી સાથે પ્રગાઢ સ્નેહથી બંધાયેલી હતી. એને કોઈ સંયોગોમાં છોડી શકે એમ ન હતી. લગભગ એ રોજ બંધુસુંદરી પાસે જતી હતી. બંધુસુંદરી ચંદ્રયશાનો સાચો આદર-સત્કાર કરતી હતી... ખૂબ પ્રેમ કરતી હતી.
એક દિવસ બંધુસુંદરી ઉદાસ હતી. એના ઘરમાં ન બનવાની ઘટના બની ગઈ હતી. તેનો પતિ યશોદાસ, નગરની એક સુંદર સ્ત્રી મદિરાવતીમાં આસક્ત થયો હતો. મદિરાવતી એના ઘરમાં એકલી જ હતી. યશોદાસ રોજ રાત્રે એની પાસે જતો હતો. મોડી રાત્રે એ પાછો પોતાના ઘરે આવતો હતો. બંધુસુંદરી પ્રત્યે એને કોઈ મોહ રહ્યો ન હતો. બંધુસુંદરી એ જ કારણે દુઃખી હતી.
આજે તું આટલી બધી ઉદાસ કેમ છે?' ચંદ્રયશાએ બંધુસુંદરીના ખભે હાથ મૂકીને, સહાનુભૂતિથી પૂછ્યું. બંધુસુંદરીએ હૃદય ખોલીને, બધી વાત કરી. ચંદ્રયશા વિચારમાં પડી ગઈ. “આવી સુંદર પત્ની ઘરમાં હોવા છતાં યશોદાસ કેમ બીજી સ્ત્રીમાં મોહિત થયો હશે?' તેણે બંધુસુંદરીને કહ્યું :
સુંદરી, યશોદાસે આવું કેમ કર્યું?” ચંદ્રા, પુરુષો ભ્રમર જેવા હોય છે... ખેર, એને જ્યાં જવું હોય ત્યાં જાય, પણ
ભાગ-૩ ૪ ભવ આઠમો
૧૨80
For Private And Personal Use Only