________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યો. એના મનના ભાવ બદલાઈ ગયા! યશોદાસે મદિરાવતી પાસે જવાનું બંધ કર્યું અને બંધુસુંદરી પ્રત્યે અનુરાગી બન્યો.”
0 0 0 આચાર્યશ્રી સુગૃહિતે મને કહ્યું: “હે ભદ્ર, મદિરાવતીના દુઃખમાં તું નિમિત્ત બની. તે કઠોર પાપકર્મ બાંધ્યું. તારું આયુષ્ય પૂર્ણ થતાં તું મરીને જંગલમાં હાથણી બની. જે હાથીઓના ટોળામાં હતી, એ ટોળાનો મુખ્ય હાથી, તારો પતિ હતો. એક દિવસે પૂર્વજન્મનું પાપકર્મ ઉદયમાં આવ્યું. અને હાથીની તું અણમાનીતિ-અળખામણી બની ગઈ! તેં મદિરાવતીને અણમાનીતી બનાવી હતી ને? હાથણીના ભવમાં તે અણમાનીતી બની.
એક દિવસ એ જંગલમાં હાથીઓને પકડનારા માણસો આવ્યા. મોટો ખાડો ખોદીને એના પર વૃક્ષોની ડાળીઓ ઢાંકી દીધી. તને ખબર ન હતી ખાડાની. એ વૃક્ષોની ડાળીઓ ખાવા તું આગળ વધી કે ખાડામાં ગબડી પડી. જાળમાં ફસાઈ ગઈ. તને પકડવામાં આવી... તેં છૂટવા માટે ઘણા ધમપછાડા કર્યો... તું ના છૂટી શકી. બહુ કષ્ટ સહન કરીને, તું મરી.
છે મરીને તું વાંદરી થઈ. પહેલાં તો વાંદરો તને ચાહતો હતો, પરંતુ પેલું પાપકર્મ જે ભોગવવાનું બાકી હતું, તે પાપકર્મ ઉદયમાં આવ્યું. તારા એ વાંદરાને તું અણમાનીતી બની. એક દિવસ તું વાંદરાઓના ટોળાથી છૂટી પડી ગઈ. તું એકલી હતી. એ વખતે જંગલમાં શિકાર કરવા આવેલા એક રાજાએ તને પકડી લીધી. લોહ-સાંકળથી બાંધીને, એ તને લઈ ગયો.. એ જ રીતે તેં બાકીનું આયુષ્ય પૂર્ણ કર્યું.
છેમરીને તું કૂતરી થઈ...
તે યુવાન થઈ, અનેક કૂતરાઓ તારી પાછળ ફરવાં લાગ્યાં. તું ગર્ભવતી થઈ.... બધા જ કૂતરાઓએ તને છોડી દીધી! તારા શરીરમાં કીડા પડી ગયા... તને ખૂબ વેદના થવા લાગી. શારીરિક અને માનસિક વેદનાઓ સહેતાં સહેતાં તું મરી. મરીને તું બિલાડી થઈ...
૦ ૦ ૦ હું મારા ભવોની પરંપરા સાંભળીને, ધ્રુજવા માંડી હતી. આમેય આખી રાત મેં ઠંડીમાં વિતાવી હતી. આચાર્યદેવના મુખે આ બધી વાતો સાંભળીને, મારી ધ્રુજારી વધી ગઈ હતી. આચાર્યદેવને મેં વચ્ચે જ પૂછ્યું:
ભગવંત, મેં માત્ર મારી સખીની ખાતર, એના પતિથી મદિરાવતીનો વિયોગ ૧૨૩૨
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only