________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અસ્ફુટ... અકળામણ થતી હતી, પરંતુ હું બોલી નહીં. મારા દુરાગ્રહથી તેઓ મને એ અરણ્યમાં લઈ જતાં હતાં, જ્યાં એમને યક્ષિણી મળી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં પૂછ્યું: ‘હે નાથ, ખરેખર આપણે પેલી જગ્યાએ જઈ રહ્યાં છીએ કે જ્યાં... પેલી યક્ષિણી આપને મળી હતી?’
એમણે માથું ફેરવીને, મારી સામે જોયું. તેમના મુખ પર સ્મિત હતું. તેમણે કહ્યું: ‘તને શંકા લાગે છે?'
‘ના રે, શંકા નથી... માત્ર પૂછવા ખાતર પૂછું છું!'
ક્ષણો વીતી જતી હતી. અશ્વના પગ નીચેથી ધૂળ સરતી જતી હતી. શાંત વાતાવરણમાં પશુઓના ઊઠતા અવાજો વિચિત્ર લાગતાં હતાં. જોકે મને પણ અશ્વ ઉપરની સવારીનો અભ્યાસ હતો, છતાં મારું શરીર દુઃખતું હતું. પ્રવાસ મને-મારા શરીરને થકવી રહ્યો હતો... હું એમની પીઠના સહારે માથું ટેકવીને, ઊંઘવા લાગી હતી.
અચાનક ઘોડો ઊભો રહી ગયો. હું ઝબકીને જાગી ઊઠી... મેં તેમના બંને ખભા પકડી લીધા. મેં પૂછ્યું: ‘શું છે?’
તેમણે ધીરેથી મને કહ્યું: ‘સામે જો!' મેં હાથનું નેજવું કરીને નજ૨ માંડી... ‘કોઈ વિચિત્ર વાત લાગે છે!' હું બોલી.
‘એ જ છે!’
પળે પળે એ આકૃતિ અજબ લયમાં નજીક આવતી હતી. પ્રભાતના આછા અજવાળામાં તે આકૃતિનો રંગ અને એના ચહેરાની સુરખી સ્પર્શતી હતી... એનો અવાજ આવ્યો:
૧૨૨૦
‘કોશલરાજ, સારું કર્યું, આજે મહારાણીને લઈને આવ્યા!'
મારા શ્વાસ અધ્ધર થઈ ગયા... એ ખડખડાટ હસવા લાગી હતી. તેનું રૂપ વિકૃત થતું જતું હતું... મેં ચીસ પાડીને કહ્યું: ‘નાથ, આપણે પાછાં વળીએ... મારે એક ક્ષણ પણ અહીં નથી રહેવું...’
પેલી બોલી: ‘તારી પ્રતિકૃતિ જોઈને જા!' જાણે હું આદમકદ અરીસામાં મને જ જોતી હોઉં... એવું લાગ્યું...
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ આઠમો