________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિપકોના અજવાળામાં મેં મહારાજાનો તામ્રવર્ણો ચહેરો ચળકતો જોયો. તેમની લાંબી આંખો મારા તરફ તકાઈ રહી. એમના જેવા આકર્ષક પુરુષ મેં બીજા જોયાં ન હતાં. હું ધીરેથી એમના પલંગના કિનારે બેસી ગઈ.
પ્રાણનાથ, હું ઈચ્છું છું કે આપણે પેલી જગ્યાએ જઈએ.. હું એક યક્ષિણીને.” તેમણે મારા હોઠ પર આંગળી મૂકીને બોલતી અટકાવી. ‘ત્યાં તારાથી ના જવાય...”
કેમ?' ‘એ જગ્યા તારા માટે સલામત નથી. તારી જિંદગી જોખમમાં મૂકાય, એ મને પસંદ નથી...”
શા માટે?
શા માટે પૂછે છે? તારા દરેક પ્રશ્નના જવાબ આપવાની મને ટેવ નથી, એ તું જાણે છે ને?”
હાજી...” છતાં તું પૂછે છે તો કહું છું: “દેવી, હું તને ખૂબ ચાહું છું! હે હસી પડી. તેમણે પડખું ફેરવીને, માથે ઓઢી લીધું.... અને મને કહ્યું: “રાત બહુ વીતી ગઈ છે, માટે સૂઈ જા...' છતાં હું બેસી રહી... તેમને ખબર હતી. મોઢા પરથી રજાઈ દૂર કરીને કહ્યું: દેવી, આપણે પછી વાત કરીશું!” ‘પણ મને હા પાડો.. કે તમે મને એ અરણ્યમાં લઈ જશો... ને પેલું તળાવ... પેલી કાળી ચટ્ટાન.... એ બધું બતાવશો! અને જો પેલી ત્યાં આવી ચઢે તો...'
તારે એની સાથે મિત્રતા કરવી છે?' ના, ના, માત્ર એને જોવી છે!' “અને એ રાક્ષસીનું રૂપ કરશે તો? હા, એ દેવી છે, એ ધારે તે રૂપ કરી શકે...” ‘તમે સાથે હો પછી મને ભય શાનો? હા પાડો. એટલે સૂઈ જાઉં...!” તેમણે મૌન સંમતિ આપી... મારા ભાવિએ મને ભુલાવી હતી. પરંતુ ભવિતવ્યતાને કોણ મિથ્યા કરી શકે?
૦ ૦ ૦ અમે એક જ અશ્વ પર બેઠાં. તેઓ આગળ અને હું પાછળ... ઊગતા સૂરજનાં લાલ કિરણોની આભા દેખાતી હતી. મારા મનમાં કોઈ અકળ...
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૯
For Private And Personal Use Only