________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પ્રિયતમના વિરહનું તીવ્ર દુઃખ છે.' રત્નાવતીએ બધી વાત સાધ્વીને કરી. જે અફવા સાંભળી હતી. તે વાત પણ કરી, અને છેવટે કહ્યું:
“હે પૂજ્યા, આપે આપના ઉપદેશમાં જે વાતો કહી, પરમાર્થથી એ જ સત્ય છે, પણ હું મંદભાગ્યા છું. મને આર્યપુત્ર અંગેના અમંગલ સમાચારે વ્યથિત કરી દીધી છે. અતિ દુઃખ ઉત્પન્ન કર્યું છે.”
સાધ્વીએ કહ્યું: “હે ભદ્ર, અત્યારે તારા આર્યપુત્રને અકુશળ નથી, તે નિરાબાધ છે, માટે સ્વસ્થ બન.”
“હે ભગવતી, આપે કેવી રીતે જાણ્યું?' સાધ્વી પ્રત્યે રનવતીને સાધ્વીનાં વચનો પર વિશ્વાસ થઈ જ ગયો હતો, છતાં જિજ્ઞાસાથી પૂછી લીધું. ‘તારા વિશિષ્ટ પ્રકારના સ્વરથી જાણ્યું.' મારા વિશિષ્ટ સ્વરને આપે કેવી રીતે જાણ્યો?'
સ્વર જ્ઞાનથી!' “એ કેવું સ્વર વિજ્ઞાન છે?”
ભદ્ર, જ્યારે પતિ પત્નીના સંયોગમાં પરમાનંદ અનુભવે તે વખતે પતિનો જેવો સ્વર હોય તેવો સ્વર સૌભાગ્યવતી સ્ત્રીનો હોય... આ પ્રમાણે સ્વર વિજ્ઞાનના શાસ્ત્રમાં મેં સાંભળેલું છે.” રનવતીએ કહ્યું: “હે ભગવતી, આપ ગુસ્સે ના થાઓ તો હું કંઈક રહસ્ય પૂછું..”
હે ભદ્ર, સાધુ-સાધ્વી ક્રોધ કરનારાં હોતા નથી... તારે જે પૂછવું હોય તે પૂછ... વિનંતી કરવાની જરૂર નથી.'
આપે કહ્યું કે હું સૌભાગ્યવતી છું, એમાં પ્રમાણ શું?” વર્લ્સ, આવી વાતોમાં પ્રમાણ કે પુરાવો ના હોય. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનાં વચનો મિથ્યા હોય જ નહીં. સ્વર વિજ્ઞાન સર્વજ્ઞ વીતરાગે કહેલું છે. તારો સ્વર સૌભાગ્યવંતીનો જ છે. વિધવા સ્ત્રીનો આવો અવાજ ના હોય. તે છતાં તને મારી વાત પર વિશ્વાસ બેસે અને તારા જાણવા માટે, કંઈક નિશાની બતાવું છું. અહીં કોઈ પુરુષ નથી, તેથી એ બતાવી શકાય, પરંતુ એ સાંભળીને, તારે નારાજ નથી થવાનું.” “નહીં થાઉં નારાજ, આપ બતાવો.'
આવા સ્વરવાળી સ્ત્રીના શરીરના ગુપ્તપ્રદેશમાં તલ જેવો કાળો ડાઘ હોય છે, જેને ‘મષ' કહેવાય છે. આ પ્રમાણે સ્વર વિજ્ઞાનના શાસ્ત્રોમાં કહેવાયું છે. આ વાત સાચી છે કે ખોટી, તે તું કહી શકે છે...”
૧૨
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only