________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખેર, ભલે પડ્યો અહીં. હું એના દુશ્મન વિગ્રહ રાજા પાસે જઈને, એને સહાયતા કરું! વિગ્રહ પાસે યુદ્ધ કરાવું. અને કુમારને મારી નખાવું...”
તે આકાશમાર્ગે કિલ્લાની અંદર, જે મહેલમાં વિગ્રહ રહેતો હતો, તે મહેલમાં ગયો. અદશ્ય હોવાથી મહેલના રક્ષકો એને જોઈ ના શક્યા... તેણે મહેલના ભોંયરામાં રહેલા વિગ્રહ રાજાને જોયો. એ ત્યાં પ્રગટ થયો. વિગ્રહ રાજાએ વાનમંતરનું સ્વાગત કરીને પૂછ્યું: “તમે અહીં શા માટે આવ્યા છો?' “તને સહાય કરવા માટે.” પરંતુ નિષ્કારણ મારા પર ઉપકાર કરવાનું પ્રયોજન?” કારણ કે આ કુમાર ગુણચંદ્ર મારો દુશ્મન છે.' એટલે આ યુદ્ધની તમને ખબર પડી હતી?
ના હું, મલયાચલ જતો હતો. ત્યાં માર્ગમાં મેં ગુણચંદ્રને અવ્યક્રીડા કરતો જોયો... અને હું નીચે આવ્યો...”
આપનો પરિચય? તમે પહેલાં કુમારને ક્યાં મળેલા?” ‘હું વૈતાદ્યપર્વત ઉપરનો વિદ્યાધર છું. મારું નામ વાનમંતર છે. પૂર્વે અયોધ્યાના ઉદ્યાનમાં મેં આ કુમારને મારવા પ્રયત્ન કર્યો હતો... પરંતુ દેવયોગે મારી ના શક્યો. એ જીવતો રહી ગયો...”
શું તમે પ્રત્યક્ષ થઈને, કુમાર સાથે લડાઈ કરેલી?' “ના અદૃશ્ય રહીને...” “હવે આપ મને કેવી રીતે સહાયતા કરવા ઈચ્છો છો?' “હે વિગ્રહ, તું જે રીતે કહે એ રીતે સહાય કરું!' “હે નિષ્કારણ વત્સલ મહાપુરુષ, જો હું નગરના કિલ્લાનાં દ્વાર ખોલી નાખું તો મને લાગે છે કે અયોધ્યાની સેના જરૂર મને પરાજિત કરશે, માટે હું કિલ્લાનાં દ્વાર ખોલવા ઈચ્છતો નથી. તે છતાં મને એક માર્ગ સૂઝે છે.”
બોલો રાજન! “હું અને કુમાર - બે જણા જ લડીએ તો કદાચ હું કુમારને જીતી લઉં!
માત્ર જીતવાનો કોઈ અર્થ નથી, એ ફરીથી તને જીતી લેશે. માટે એને તો યમલોકમાં જ પહોંચાડી દેવાનો!”
આમ તો હું અયોધ્યાની આજ્ઞાંકિત રાજા છું. તે છતાં જ્યારે હવે આ વિકટ પરિસ્થિતિમાં મૂકાયો છું... તો હું યુદ્ધમાં જરૂર એનો વધ કરીશ.'
એક
રોજ
૧૧૮૨
ભાગ-૩ * ભવ આઠમો
For Private And Personal Use Only