________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિત્ય માનો, પર્યાયદૃષ્ટિએ આત્માને અનિત્ય માનો.
આવો આત્મા કર્મોનો કર્તા બને છે અને કર્મોનો ભોક્તા બને છે. ભલે, જીવ કર્મ આ જન્મમાં કરે, આવતા જન્મોમાં એ કર્મોનું ફળ એને ભોગવવું પડે છે. પરંતુ ભોગવનારો આત્મા એ જ હોય છે કે જેણે કર્મો બાંધેલા હોય છે.
હે મહાનુભાવો, જીવ અને શરીર એકાંતે ભિન્ન નથી કે એકાંતે અભિન્ન નથી. જીવ અને શરીરનો સંબંધ ભેદભેદનો છે! તો જ બંધ અને મુક્તિનાં તત્ત્વો ઘટી શકે છે. બાંધેલાં કર્મોથી જીવની મુક્તિ થાય છે. જો કર્મબંધન જ ન હોય તો કોનાથી મુક્તિ થવાની? અને જો કર્મનો બંધ ન થતો હોય તો ક્યારની સહુ જીવોની મુક્તિ થઈ ગઈ હોત! અરે, બધા જીવો મુક્ત જ હોત! આ સંસાર જ ન હોત! માટે જીવ કર્મબંધ કરે છે - એમ માનવું જોઈએ, એ જ રીતે એ કર્મબંધને પ્રવાહથી અનાદિ માનવો જોઈએ.
ધર્મપુરુષાર્થથી બે કામ થાય છે. બંધાયેલાં કર્મોની નિર્જરા થાય છે અને નવાં કર્મો બંધાતાં અટકે છે, ત્યારે એક દિવસ જીવની મુક્તિ થઈ જાય છે.
ધર્મની આ તાપ-પરીક્ષા છે. બુદ્ધિમાન ધીર પુરુષોએ આવો જ ધર્મ આદરવા યોગ્ય છે. આવો શુદ્ધ ધર્મ સ્વીકારીને, ભાવપૂર્વક એની આરાધના કરીને, અનંત જીવોએ મુક્તિ પ્રાપ્ત કરી છે. માટે તમને હું કહું છું કે તમે આવા પરિશુદ્ધ ધર્મનો સ્વીકાર કરો, અતિ દુર્લભ મનુષ્યજન્મને સફળ કરો.” દેશના પૂર્ણ થઈ. જ કેટલાક જીવો સમ્યક્ત પામ્યા. જ કેટલાક જીવોએ વ્રતમય ગૃહસ્થધર્મ સ્વીકાર્યો.
છે. કેટલાક જીવોનું ચારિત્રમોહનીય કર્મ નાશ પામ્યું, તેઓએ ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો.
સહુ કૃતાર્થતા અનુભવતા પોતપોતાના સ્થાને ગયા, પરંતુ હું ત્યાં જ બેઠો. મારી જિજ્ઞાસા સંતોષવી હતી!
ક્ર
રાહ
રાક
શ્રી સમરાદિત્ય મહાકથા
9964
For Private And Personal Use Only