________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેં ધનુષ્ય-બાણ નીચે મૂક્યાં ને સિંહ ઠેઠ તારી પાસે આવીને ઊભો રહ્યો... તું અને તારી પત્ની શ્રી નવકારમંત્રનું સ્મરણ કરવામાં લીન બન્યાં, ત્યાં જ સિંહે પહેલાં શ્રીમતી પર હુમલો કરીને તેને ચીરી નાખી, પછી તને ચીરી નાખ્યો.
તમારા બંનેનું શુભ ધ્યાનમાં મૃત્યું થયું.
તમે બંને પહેલાં ‘સૌધર્મ' દેવલોકમાં ઉત્પન્ન થયાં. તમારા બંનેનું એક પલ્યોપમ વર્ષનું આયુષ્ય હતું. તમે બંનેએ દેવલોકમાં તમારા ઇચ્છિત ભોગસુખો ભોગવ્યાં, અને તમારું આયુષ્ય પૂર્ણ થતાં, ત્યાંથી તમારું ચ્યવન થયું...
પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં,
ચક્રપુર નગરમાં -
‘કુરુમૃગાંક’ નામનો રાજા હતો, તેની પટ્ટરાણી હતી બાલચંદ્રા. તારો જન્મ એ રાણીની કૃક્ષિએ થયો.
કુરુમૃગાંક રાજાના સાળાનું નામ હતું સુભૂષણ. એની પત્નીનું નામ હતું કુરુમતિ. દેવીનો જન્મ કુરુતિના પેટે થયો. બંને એક જ પ્રદેશમાં જન્મ્યાં. બંને રૂપવાન હતાં અને ગુણવાન હતાં. તારું નામ ‘સમરમૃગાંક' રાખવામાં આવ્યું, દેવીનું નામ અશોકદેવી.
જ્યારે તમે બંને યૌવનમાં પ્રવેશ્યાં ત્યારે અશોકદેવી સાથે તારાં લગ્ન કરવામાં આવ્યા. તમારા બંન્નેનો પરસ્પર ગાઢ સ્નેહ બંધાયો. તમે સંતોષી બન્યાં. વૈયિક સુખો ભોગવતાં... તમારો સમય વહી રહ્યો હતો.
એક દિવસ આરીસા ભવનમાં મહારાજા કુરુમૃગાંકે પોતાના માથા પર સફેદ વાળ જોયો અને તેઓ સંસાર પ્રત્યે વૈરાગી બન્યા.
તેમણે તારી માતા બાલચંદ્રા રાણીને વાત કરી. રાણી રાજા પ્રત્યે સ્નેહાધીન હતી. તેણે કહ્યું: 'હે નાથ, આપ જો સંસાર ત્યાગ કરશો તો આપની સાથે હું પણ સંસારત્યાગ કરીશ, પરંતુ એ પૂર્વે આપણે સમરમૃગાંકનો રાજ્યાભિષેક કરી દઈએ,’ તારો રાજ્યાભિષેક થયો.
તારાં માતા-પિતાએ દીક્ષા લીધી.
તેં સર્વે સામંત રાજાઓને વશ કર્યા અને રાજ્યને સારી રીતે સંભાળી લીધું. તારામાં બે દોષ હતાઃ તું વિષયાસક્ત હતો, અતિ કામી હતો અને શિકારપ્રિય હતો. તું પશુ-પક્ષીઓનો નિર્દય બનીને, શિકાર કરતો હતો. પક્ષી-બાળકો માતાપિતા વિહોણાં બનવા લાગ્યાં. પક્ષી-સ્ત્રીઓ પતિવિહોણી બનવા લાગી. એવી રીતે પશુઓમાં પણ તેં અનેકોના વિરહ કરાવ્યા.... હે રાજન, એ પાક્રિયા કરીને, તેં જે શ્રી સમરાદિત્ય મહાકા
૧૧૯૯
For Private And Personal Use Only