________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગઈ. સમગ્ર રાજસુખો તરફ તીવ્ર વૈરાગ્યદશા પ્રગટ થઈ ગઈ.' સમવસરણમાં જ ઊભા થઈને, ભગવંતને વિનંતી કરી:
“હે ભવોદધિતારકી મારી પ્રબળ ભાવના છે કે મોક્ષસુખના કારણભૂત એવી ભાગવતી દીક્ષા આપની પાસે ગ્રહણ કરું..”
મહારાણી ચંદ્રધર્માએ પણ પરમાત્માની પાસે આવીને, આવી જ પ્રાર્થના કરી, દીક્ષા ગ્રહણ કરવાની વિનંતી કરી. તીર્થંકર પરમાત્માએ કહ્યું: “જહાસુખે દેવાણુપિયા!” હે મહાનુભાવો, વિના વિલંબે તમને સુખ ઊપજે એમ કરો. ગહન વન જેવા આ સંસારમાં ભવ્ય જીવોએ મોક્ષમાર્ગની જ આરાધના કરી લેવા જેવી છે.”
અમે બંનેએ રાજા-રાણીએ ભાવથી તો ત્યારે જ ચારિત્રી બની ગયા, પરંતુ હું રાજા હતો ને રાજ્યની વ્યવસ્થા કરવી, કર્તવ્ય હતું. આચાર્યદેવની આજ્ઞા લઈ, અમે રાજમહેલે પહોંચ્યાં.
કે તરત જ મંત્રીમંડળને બોલાવીને, અમારી ભાવના વ્યક્ત કરી. મંત્રીમંડળે અનુમતિ આપી.
રાજકુમારને બોલાવીને, એના રાજ્યાભિષેકની વાત કરી અને અમારા સંસારત્યાગની વાત કરી.
નગરમાં ઘોષણા કરાવી દીધી. જ દીન-અનાથોને મહાદાન આપ્યું. આ નગરમાં સર્વે મંદિરોમાં ઉત્સવ કરાવ્યાં.
સ્નેહી-સ્વજનોને ભોજન-વસ્ત્ર-અલંકારો આપ્યાં. શુભ દિવસે ને શુભ મુહુર્તે અમને બંનેને તીર્થકર ભગવંતે દીક્ષા આપી. અમારી સાથે અન્ય એક હજાર સ્ત્રી-પુરુષોએ પણ સંસાર ત્યાગ કરી દીક્ષા લીધી!
હે ગુણચંદ્ર, આ મારી જનમ-જનમની કથા છે!”
આચાર્યદેવની જનમ-જનમની કથા સાંભળીને, કુમાર ગુણચંદ્રના હૃદયમાં તો વૈરાગ્યભાવ જાગ્રત થયો, સાથે બેઠેલાં સર્વેને વૈરાગ્યભાવ જાગ્રત થયો. કુમારે વિચાર્યું કર્મવશ જીવની મોહાંધતા કેવી ભયાનક છે! એના વિપાકો કેવા દારુણ છે! ખરેખર, આ ગુરુવચનો જ, ભવસાગરથી જીવોને તારનારાં છે.. એમના ઉપદેશ મુજબ જો જીવન, જીવવામાં આવે, તો આ જન્મ તો સફળ થાય જ, ભવિષ્યના જન્મો પણ સફળ થાય.”
આમ વિચારીને, તેણે મસ્તકે અંજલિ રચીને, આચાર્યદેવને કહ્યું: “ભગવંત, આપે આપના અનેક જનમોની વાતો કરીને, અમારા પર મહાન ઉપકાર કર્યો છે. હે શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨0૫
For Private And Personal Use Only