________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“હે દેવ, આપ ઈચ્છતા તો મારો શિરચ્છેદ કરી શકત.... હું મરેલો જ છું. હવે આપની સાથે યુદ્ધ કરવાથી શો ફાયદો?' વિગ્રહ, તું વીર પુરુષ છે! તું મહાનુભાવ છે!” ના, ના, મહારાજ કુમાર, હું તો અધમ પુરુષ છું.”
તો તેં મને જગાડ્યા વિના મારા પર પ્રહાર કરી દીધો હોત તેં મને નવું જીવન આપ્યું છે...'
ના રે, ના મેં કંઈ આપના પર દયા નથી કરી... મેં મિથ્યાભિમાનથી પ્રેરાઈને આપને જગાડ્યાં હતાં. હે દેવ, આપ આપના સૈનિકોને આજ્ઞા કરો કે એ એક સાથે મારા પર તલવારના પ્રહાર કરી, મારા નાના નાના ટુકડા કરી નાખે. હું હવે જીવવા નથી ઈચ્છતો....'
“બસ, બોલવાનું બંધ કર. એવું કંઈ જ અનુચિત કરવાનું નથી. તેં મને ના માર્યો, મેં તને ના માર્યો... સરખું થઈ ગયું. જા તું તારું રાજ્ય સંભાળ, મારે બીજું કંઈ જોઈતું નથી. પરંતુ એક વાત જો તને ઉચિત લાગે તો, કહે...”
જે વાત પૂછો, તેનો સાચો ઉત્તર આપીશ!”
પેલો પુરુષ કોણ હતો કે જે અદૃશ્ય હતો ને પ્રત્યક્ષ થયો! વળી પાછો અદશ્ય થઈ ગયો?'
“મહારાજકુમાર, એ વિદ્યાધરપુત્ર છે, એનું નામ વાનમંતર છે.. અને તે આપના પ્રત્યે ભયંકર રોષ ધરાવે છે. એની જ ચઢવણીથી અને એના જ સહયોગથી હું અને મારા સુભટો આકાશમાં અહીં પહોંચી શક્યા અને તમારો વધ કરવા તૈયાર થયા..”
હે વિગ્રહ, મેં એનું કંઈ બગાડ્યું નથી. તો પછી એ મારા પ્રત્યે, કેમ રોષ રાખે છે?”
હે દેવ, મેં એને કારણ પૂછ્યું નથી કે એણે સ્વયં કોઈ કારણ બતાવ્યું નથી.” કુમાર ઊંડા વિચારમાં ખોવાયો. એ પલંગ પર બેઠો. વિગ્રહ બોલ્યો:
મહારાજકુમાર, મારી એક વિનંતી છે. આપ સ્વીકારશો? જરૂર...' તો મારા પર કૃપા કરી, મને આપનો સેવક બનાવો!”
વિગ્રહ, તું મારો સેવક ના બની શકે, તું પિતાજીનો સેવક છે અને તારે પિતાજીની જ જીવનપર્યત સેવા કરવાની છે.'
આપની આજ્ઞા શિરોધાર્ય છે. હું આપની સાથે જ અયોધ્યા આવું છું. મહારાજાનો
૧૧૮
ભાગ-૩ ૪ ભવ આઠમો
For Private And Personal Use Only