________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋતુદેવતાઓએ પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરી છે. વૈમાનિક દેવોએ સમવસરણનો પહેલો રનમય કોટ બનાવ્યો છે. » જ્યોતિષીદેવોએ બીજો સુવર્ણનો કોટ બનાવ્યો છે. ભવનવાસીદેવોએ ત્રીજો રજત (ચાંદી)નો કોટ બનાવ્યો છે.
વ્યંતરદેવોએ દરેક કોટમાં તોરણો બાંધીને સજાવટ કરી છે. આ એ જ વ્યંતરદેવોએ સમવસરણના મધ્ય ભાગમાં અશોકવૃક્ષ બનાવ્યું છે. અશોકવૃક્ષની ડાળીઓ અસંખ્ય પુષ્પોથી લચી પડી છે. પુષ્પોની સુગંધથી આકર્ષાઈને આવેલા ભ્રમરોથી એ વૃક્ષ ભરાઈ ગયું છે.
જ તે વૃક્ષની નીચે, ભક્તિસભર દેવોએ રત્નમય સિંહાસન મૂક્યું છે તેમજ વિવિધ મણિરત્નજડિત, ઉત્તમ કારીગરીવાળું પાદપીઠ મૂક્યું છે!
અશોકવૃક્ષની નીચે અને તીર્થંકરના મસ્તક ઉપરના ભાગમાં ત્રણ છત્ર ગોઠવ્યાં છે. “તીર્થકર ત્રણ ભુવનના નાથ છે,' આ ભાવને સૂચવનારા આ ત્રણ છત્ર, મોગરાનાં પુષ્પ જેવા ઉજળ અને તેજસ્વી મોતીઓની ઝૂલવાળાં છે!”
જ દેવોએ સોનાના દંડવાળા ઇન્દ્રધ્વજનું નિર્માણ કર્યું છે. એ ઇન્દ્રધ્વજ પર પવનથી લહેરાતી ધજાઓ છે. એ ધ્વજ પર સિંહ અને ચકનાં ચિત્રો છે.... ને આકાશને સ્પર્શતી એની ઊંચાઈ છે.
હંસ જેવા ઉજ્વળ અનેક ચામરો બનાવ્યાં છે. મેઘના ગર્જારવ જેવી ગંભીર સ્વરવાળી મનોહર દેવદુભિઓ બનાવી છે. આ વ્યંતરદેવોએ, તરુણ સૂર્ય જેવું તેજસ્વી “ધર્મચક્ર' બનાવ્યું છે, જાણે કે એ જગદ્ગુરુ તીર્થંકર પરમાત્માનું તપ-તેજ ન હોય!'
હે મહારાજા, મેં સંપૂર્ણ રચના જોઈ! દેવોને કેટલીવાર લાગે! બહુ જ અલ્પ સમયમાં તે બની ગયું. હું ત્યાં જ ઊભો રહ્યો. કારણ કે તીર્થંકર પરમાત્માના પધારવાનો સમય હતો. સમવસરણના પૂર્વ ધારેથી ભગવંતે પ્રવેશ કર્યો. સિંહાસન સન્મુખ જઈને, તેઓએ “તીર્થ” ને નમસ્કાર કર્યા અને અશોકવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દીધી. ત્યાર પછી બે પગ પાદપીઠ પર સ્થાપીને, તેઓ પૂર્વ દિશા સમુખ બેઠાં. જાણે કે શરદના પૂર્ણચંદ્ર ના હોય, તેવા લાગતાં હતાં.
છે. પૂર્વ સિવાયની ત્રણ દિશાઓમાં દેવોએ તીર્થંકરની આબેહૂબ ત્રણ પ્રતિમા બાકીની સ્થાપિત કરી. દર્શકોને સાક્ષાત તીર્થકર જ દેખાય! ઈન્દ્રો પોતાનાં ઉત્તરવૈક્રિય’ શરીરીની રચના કરીને, ચામરો લઈને, ભગવંતની બંને બાજુએ ઊભા રહ્યા.
+ અગ્નિ ખૂણામાં પરમાત્માના સિંહાસનની નજીક ગણધર ભગવંતો બેઠાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૯૧
For Private And Personal Use Only