________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું મોટો અપરાધી છું. મારા બધા અપરાધોની ક્ષમા માગીને, એમની સેવામાં રહીશ.”
આપણે આવતી કાલે જ અયોધ્યા તરફ પ્રયાણ કરીએ.”
મહારાજ કુમાર, આપ અહીં સુધી આવ્યા છો, આવતી કાલે નગરમાં પધાર. મારા ઝૂંપડાને પાવન કરો. મને સમગ્ર પરિવારનો આદર સત્કાર કરવાનો અવસર આપો, બસ, એક જ દિવસ રોકાજો.. પછી આપણે અહીંથી અયોધ્યા તરફ પ્રયાણ કિરીશું. કુમાર ગુણચંદ્ર વિગ્રહની વિનંતી સ્વીકારી.
૦ ૦ ૦ કુમાર અને વિગ્રહ સાથે સેનાએ અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. પહેલો જ મુકામ એક સરોવરના કિનારે રમણીય પ્રદેશમાં કરવામાં આવ્યો... હજુ પ્રભાતિક કાર્યોથી પરવારીને, કુમાર બેઠો જ હતો, ત્યાં એક અજાણ્યા પુરુષે, કુમારની પાસે આવીને, નમન કરીને, નિવેદન કર્યું
હે ગુણચંદ્રકુમાર, આ પ્રદેશમાં, નજીક જ “ગુણસંભવ' નામનું ઉદ્યાન છે. હું ત્યાંથી જ ચાલ્યોપાવું છું. હે કુમાર, ત્યાં એક “વિજયધર્મનામના આચાર્ય પધારેલા છે. કુમાર, તે આચાર્ય ભગવંત પૂર્વાવસ્થામાં મિથિલાના રાજા હતાં. તેઓ ‘મિથિલાધીપતિ’ કહેવાતાં હતાં. છેતેઓ મન:પર્યવજ્ઞાની છે.
સુવર્ણ અને માટીને સમાન માનનારા છે. છે તૃણ અને મણિને એક સરખાં જોનારા છે.
સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરનારા છે. નિષ્કારણ ઉપકારી છે. જે પરોપકાર જ એમનું જીવન છે. કે સાક્ષાત્ કલ્પવૃક્ષ છે!
કુમારે એ પુરુષની વાત શાન્તિથી સાંભળી. વિગ્રહ સામે જોઈને કહ્યું: ‘વિગ્રહ, આપણે અત્યારે જ એ ઉદ્યાનમાં જઈએ અને આચાર્યદેવનાં દર્શન-વંદન કરીએ!”
કુમાર, મંત્રીવર્ગ તથા વિગ્રહ વગેરેની સાથે “ગુણસંભવ” ઉદ્યાનમાં પહોંચ્યો. તેણે ત્યાં આચાર્યદેવનાં દર્શન કર્યા. દર્શન કરતાં જ કુમારના મનમાં શુભભાવ પ્રગટ્યો. તેણે વિચાર્યું.
શ્રી સમાદિત્ય મહાકથા
૧૧૮૭
For Private And Personal Use Only