________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિહાળો!' કુમારે ચિત્રપટ ભૂષણના હાથમાં પકડાવી દીધો... તે જોઈને બંને વિસ્મય પામ્યા...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહારાજકુમાર, આપ ચિત્રકળામાં કોઈ પણ ખામી વિના કેવું અદ્દભુત પ્રભુત્વ ધરાવો છો? આ જીવંત ચિત્ર છે! આ ચિત્ર જ સ્પષ્ટ ભાવો કહે છે... ખરેખર ચિત્રમાં ભાવોની અભિવ્યક્તિ દુષ્કર હોય છે. ચિત્રકળામાં ભાવો જ પ્રશંસનીય હોય છે. સાચે જ, મહારાજકુમાર, આપ અદ્વિતીય ચિત્રકાર છો. દુનિયાએ આપને આ રૂપે ઓળખ્યા નથી.
બીજી બાજુ, ભૂષણ અને ચિત્રમતીએ ગુણચંદ્રકુમારનું આબેહુબ ચિત્ર તૈયાર કરવા માંડ્યું હતું. એમને શંખપુર જઈને રાજકુમારીને ચિત્ર બતાવવાનું હતું. રાજારાણીને પણ બતાવવાનું હતું. ‘આ રાજકુમારનું ચિત્ર જ સહુને પસંદ પડવાનું છે...’ બંને રાજપુરુષોને વિશ્વાસ હતો.
રાજકુમારનું અદ્વિતીય ચિત્ર બનાવીને, એ બંને કુમાર પાસે ગયા. કુમારે રત્નવતીનું ચિત્ર બનાવીને, તેની નીચે સંદેશો લખ્યો હતો.
‘ચિત્રમાં રહેલી બાળાને તો જોઈ, પરંતુ મારો અંતરાત્મા તેના પ્રત્યક્ષ દર્શન ક૨વા ઉત્સુક છે...'
ભૂષણે ને ચિત્રમતીએ ચિત્ર જોયું અને ચિત્ર નીચે લખેલો સંદેશો વાંચીને કુમારને
કહ્યું:
‘મહારાજકુમાર, આપની ઈચ્છા અલ્પ સમયમાં પૂરી થશે. આપ રાજકુમારીનું જેવું ચિત્ર આલેખ્યું છે, તેવી જ છે રાજકુમારી, ખરેખર, અમારી રાજકુમારી મહાન ભાગ્યશાળી છે... કે જે આપના જેવા પુરુષરત્નના હૃદયમાં વસી છે! હે કુમાર, આ ચિત્ર અમને આપો. અમે, જો આપ આજ્ઞા આપો તો આજે જ શંખપુર તરફ પ્રયાણ કરીએ, રાજકુમારીને આપે બનાવેલું આ ચિત્ર ભેટ આપીશું! અમને તો વિશ્વાસ છે કે એના હૃદયમાં પણ એવો જ ભાવ જાગશે... જેવો ભાવ આપના હૃદયમાં જાગેલો છે....
૧૧૭૩
ચિત્ર લઈને બંને ચિત્રકારો પોતાના નિવાસે આવ્યા, બે લાખ સોનામહોરોની પોઠો ભરી. ચિત્રો લીધાં... અને ઘોડાઓ પર આરૂઢ થઈ શંખપુર તરફ પ્રયાણ કર્યું.
For Private And Personal Use Only
ભાગ-૩ * ભવ આઠમો