________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજ સમરકેતુને પણ આમંત્રણ આપતો આવું! દીક્ષા પ્રસંગે તેઓ પધારે!'
મહારાજકુમાર, મહારાજા સમરકેતુનો આપના પર અત્યંત સ્નેહ છે. ખૂબ જ કાળજીથી વાત કરજો. અને હા, શાન્તિમતીને પણ આઘાત ના લાગે એ રીતે વાત કરજો.'
મંત્રી, સાચી વાત છે તમારી. એ બંનેનો મારા પર અગાધ પ્રેમ છે. તેમને હું દીક્ષાની સીધી જ વાત કરું તો એમનાં હૃદય પર આઘાત થયા વિના ન રહે. હું સાવધાનીથી વાત કરીશ.'
પલ્લીપતિએ નિવાસમાં પ્રવેશ કરીને કહ્યું: “વિશ્વપુર હું સાથે આવું છું. હું પણ પલ્લીની જવાબદારી પુત્રને સોંપીને, કુમારની સાથે જ પાછો આવીશ.' કુમાર પલ્લીપતિને ભેટી પડ્યો.
મંત્રી, રથ તૈયાર કરાવો. પલ્લીપતિને રથમાં જ મારી સાથે બેસાડીને, લઈ જઈશ.”
ના રે. મને રથમાં બેસવાનું ના ફાવે. હું ઘોડા પર જ સવારી કરીશ! અને આપ કહો તો રથની પાછળ દોડતો આવું!' સહુ હસી પડ્યાં.
કુમાર માટે રથ અને પલ્લીપતિ માટે અન્ય તૈયાર થઈ ગયો. તરત જ કુમાર રથમાં બેઠો. સારથિએ રથને હંકારી મૂક્યો. પલ્લીપતિનો અશ્વ એની પાછળ જ દોડવા લાગ્યો.
મહારાજા, આપણો યુદ્ધમાં વિજય થયો. આપણા સૈન્ય અદ્ભુત પરાક્રમ દાખવ્યું.'
કુમાર, યુદ્ધની વ્યુહરચના તે સારી કરી હતી. મને સેનાપતિએ કહ્યું કે તે યુદ્ધમાં પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. કુમાર, મેં સાંભળ્યું છે કે હજુ તેં નગરમાં પ્રવેશ નથી કર્યો, કેમ?
“હે પૂજ્ય, પિતાજીએ વિપણનો રાજ્યાભિષેક કર્યો હતો. એટલે મારી ઇચ્છા એવી હતી કે વિપેણને પાછો બોલાવી, અમે બંને ભાઈઓ નગરમાં સાથે પ્રવેશ કરીએ, અને પછી એને જ હું સિંહાસન પર આરૂઢ કરું. મેં વિષેણ શોધી લાવવા માટે રાજપુરુષોને મોકલ્યા. વિષેણ એમને મળ્યો પણ ખરો, પરંતુ એ પાછો આવવા તૈયાર ના થયો.”
શાથી?”
એને જાણ છે કે ચંપાના સામંતો એનાથી નારાજ છે. પ્રજા પણ એનાથી નારાજ છે.. અને મારા પ્રત્યે એને નિષ્કારણ વૈર છે.” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૪૩
For Private And Personal Use Only