________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ દિવસના ત્રીજા પ્રહરમાં જ ભિક્ષા લેવા જાય.
છે જે ગામમાં રહે, તે ગામના છ વિભાગ કરે. પ્રતિદિન એક એક વિભાગમાં ભિક્ષા માટે જાય.
આ એક ગામમાં વધુમાં વધુ સાત “જિનકલ્પી મહાત્માઓ રહી શકે. પરંતુ પરસ્પર બોલે નહીં. એકબીજાની ભિક્ષા માટેની શેરીનો ત્યાગ કરે.
છે અહીં આ ક્ષેત્રમાં કાળના જે વિભાગો છે, તેમાં ત્રીજા અને ચોથા આરામાં જન્મેલા જીવો જ જિનકલ્પને સ્વીકારી શકે છે.
તીર્થંકર પરમાત્મા ધર્મતીર્થની સ્થાપના કરે, પછી જ “જિનકલ્પ' સાધુ સ્વીકારી
શકે.
આ “જિનકલ્પ' સ્વીકારનાર સાધુની ઉંમર, ઓછામાં ઓછી ૨૯ વર્ષની હોવી જોઈએ. ઉત્કૃષ્ટ કરોડો વર્ષ.
આ જિનકલ્પી નવો શ્રતાભ્યાસ ન કરે. પૂર્વોપાર્જિત શ્રુતજ્ઞાનનું એકાગ્રતાથી સ્મરણ કરે.
જિનકલ્પ, પુરુષ જ સ્વીકારી શકે. કૃત્રિમ નપુંસક પણ સ્વીકારી શકે. - જિનકલ્પ સ્વીકારતી વખતે સાધુ વસ્ત્રધારી હોય, પાછળથી વસ્ત્ર પડી જાય કે ચોરાઈ જાય તો સાધુ નગ્ન રહે.
જ “જિનકલ્પ' સ્વીકારતી વખતે સાધુને ત્રણ શુભ લેશ્યાઓ હોય, તેજો, પદ્મ અને શુક્લ વેશ્યા. પરંતુ પછીથી બીજી ત્રણ અશુભ લેશ્યાઓ પણ આવી શકે, કૃષ્ણ, નીલ અને કાપીત વેશ્યા, પરંતુ આ અશુભ લેશ્યાઓ વધારે તીવ્ર ના હોય અને ઝાઝો સમય ટકે પણ નહીં.
જિનકલ્પનો સ્વીકાર કરતાં સાધુને પ્રવર્ધમાન ધર્મધ્યાન હોય, પરંતુ પછીથી એમને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પણ હોય, પરંતુ શુભ ભાવોની પ્રબળતા હોવાના કારણે, અશુભ ધ્યાનના અનુબંધ નથી પડતો.
એક જ સમયે “જિનકલ્પ' નો સ્વીકાર કરનારા સાધુઓ વધુમાં વધુ ૨૦૦ થી ૯૦૦ સુધી હોઈ શકે.
જ જિનકલ્પીઓની ઉત્કૃષ્ટ સંખ્યા બે હજારથી નવ હજાર સુધીની હોય છે. * જિનકલ્પીઓ નાના નાના અભિગ્રહો ધારણ કરતાં નથી. જિનકલ્પી મુનિ કોઈને દીક્ષા ના આપે.
જિનકલ્પીને પોતાના જ્ઞાનમાં દેખાય કે “આ આત્મા અવશ્ય દીક્ષા લેનાર છે, તો તેને ઉપદેશ આપે, અને સંવિગ્ન ગીતાર્થ સાધુઓ પાસે તેને મોકલે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૫૩
For Private And Personal Use Only