________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* આછા લાલ હોઠ.
મોટાં મોટાં કમળનયન. ક આકર્ષક છાતી.
પાતળી કમ્મર. કાળાભમ્મર લાંબા વાળ. આ વિશાળ નિતંબ. જ આકર્ષક ચરણકમળ
ખરેખર, આ રાજકન્યાને કોઈ વિરક્ત મુનિવર દેખે, તો પણ એક વાર તો મોહિત થઈ જાય. એવી આ સર્વાંગસુંદર રાજકન્યા છે.'
કુમારના ચિત્તમાં અનંગનો આવેશ આવી ગયો. તેણે ચિત્રને પોતાના બે હાથમાં લઈને, પોતાની છાતીએ દબાવ્યું... એ રત્નાવતીના પ્રત્યે તીવ્ર ભાવે આકર્ષિત બન્યો.
હું પણ આનું ચિત્ર બનાવીશ!' મનોમન કુમારે નિર્ણય કર્યો. બીજા દિવસે પ્રભાતે આવશ્યક કાર્યો પતાવીને, ભૂષણ અને ચિત્રમતી, કમારના પ્રતિભાવો જાણવા, રાજમહેલમાં આવ્યા. કુમારે ભાવપૂર્વક એ બંનેને આવકાર્યા. એમની સાથે આનંદથી વાર્તાલાપ કર્યો. એમના ચાતુરીભર્યા પ્રશ્નોના તત્કાળ ઉત્તરો આપીને, પોતાની અપૂર્વ બુદ્ધિપ્રતિભાથી પ્રભાવિત કર્યા. શંખપુરના બંને રાજપુરુષો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. ભૂષણ બોલી ઊઠ્ય: “મહારાજકુમાર, આપનામાં તરત જવાબ આપવાની અજબ જ્ઞાનશક્તિ છે.
ગુણચંદ્ર રાજ્યના ભંડારીને બોલાવીને કહ્યું: “ધનદેવ, આ બે કલાકાર રાજપુરુષોને એક લાખ સોનામહોરો ભેટ આપો.' ધનદેવે કહ્યું : ' જેવી આપની આજ્ઞા. ધનદેવ નમન કરીને ગયો, પરંતુ તેના મનમાં વિચાર આવ્યો: “કુમારની કેવી ઉદારતા છે? એક લાખથી ઓછું દાન આપતા જ નથી! એમણે લાખ સોનામહોરોનું પ્રમાણ જાણ્યું જ નથી લાગતું! એક લાખ સોનામહોરોનો કેવો મોટો ઢગલો થાય છે, તે એમને પ્રત્યક્ષ દેખાડું! એ જોઈને એમને થશે કે
અધધધ.. આટલા બધા રૂપિયા? બીજી વખત લાખ રૂપિયાનું દાન આપતાં વિચાર કરશે!” ભંડારીએ ભંડારમાંથી લાખ સોનામહોરો કુમારની સામે જ મગાવી. કુમારની સામે ઢગલો કરી દીધો,
આ અહીં શા માટે?” કુમારે ધનદેવને પૂછ્યું.
મહારાજકુમાર, આ એ જ લાખ સોનામહો છે કે જે આપે આ બે પરદેશી ચિત્રકારોને ભેટ આપવા માટે, આજ્ઞા કરી!' ધનદેવ આટલું બોલીને એક બાજુ સરકીને, ઊભો રહી ગયો.
કુમારે વિચાર્યું. “જરૂર અમારા આ ભંડારીને આ દાન વધારે પડતું લાગ્યું છે. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૭૩
For Private And Personal Use Only