________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ્યયોગે, તેઓ સર્વપ્રથમ ત્યાં પહોંચ્યાં કે જ્યાં રાજકુમાર ગુણચંદ્ર ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. તેમાંય તે “રાધાવેધ' સાધી રહ્યો હતો. ધનુર્વિદ્યાનો આ શ્રેષ્ઠ પ્રયોગ હતો. અભ્યાસ પૂર્ણ કરીને કુમાર સ્વસ્થાને ચાલ્યો ગયો, પરંતુ ભૂષણ અને ચિત્રમતી-બંનેના હૃદયમાં કુમાર વસી ગયો!
* સપ્રમાણ દેહ. છે કમળ જેવી આંખો.
ઊજળો વાન. જ અદ્દભુત લાવણ્ય. ક સુંદર દેહ-વિભૂષા.
અદ્વિતીય ધનુર્વિદ્યા. પહેલી નજરે જ ગમી જાય તેવી મુખાકૃતિ. ક તીવ્ર આકર્ષણ.
ભૂપણે ચિત્રમતીને કહ્યું: “આપણે કુમારને મળવાની તક ખોઈ નાખી.. હવે કુમારને ક્યાં અને કેવી રીતે મળીશું?”
ચિત્રમતી પણ વિચારમાં પડી ગયો... બંને રાજપુરુષોએ થોડી ક્ષણો વિચારમાં જ પસાર કરી. ચિત્રમતીએ ભૂષણ સામે જોઈને કહ્યું: “પહેલાં તો આપણે રાજસભામાં જઈને, મહારાજાને ભેટ આપીએ. પછી આપણા ઉતારે જઈને, રત્નપતીનું ચિત્ર બનાવીએ અને એ ચિત્ર લઈને, આપણે કુમાર પાસે જઈએ. કહે, મારી યોજના તને કેમ લાગે છે?” સરસ! આપણે એમ જ કરીએ....”
૦ ૦ ૦. બંને રાજપુરુષોએ રાજસભામાં જઈને પોતાનો પરિચય આપ્યો. શંખપુરના મહારાજા તરફથી ભેટ આપી. મહારાજા મૈત્રીબળે અયોધ્યા આવવાનું પ્રયોજન
પૂછ્યું:
અમે અયોધ્યાની પ્રશંસા સાંભળીને, અયોધ્યાનાં દર્શન કરવા માટે આવ્યા છીએ.”
તમારે આજથી રાજ્યના અતિથિગૃહમાં રહેવાનું છે. મહારાજાએ આજ્ઞા કરી.'
જેવી આપની આજ્ઞા....” કહી બંને રાજપુરુષો ત્યાંથી બહાર નીકળી ગયા. તે બંનેને અતિથિગૃહમાં લઈ જનારા મંત્રીએ એ બંનેના નામ જાણી લીધાં, થોડો પરિચય લઈ લીધો.
ભૂષણે અને ચિત્રમતીએ સ્થાનાંતર કરીને, પહેલું કામ રત્નાવતીનું ચિત્ર બનાવવાનું કર્યું. બંને સારા ચિત્રકાર હતા. જેવી રનવતી હતી, તેવું જ સુંદર ચિત્ર બનાવ્યું, શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only