________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજમહેલ ઇન્દ્રભવન બની ગયો હતો. આ સર્વત્ર હર્ષ... આનંદ અને ઉલ્લાસ વ્યાપેલો હતો. ગુણચંદ્રમાં ઘણાંબધાં મૌલિક ગુણો તો હતા જ. પરંતુ એને વિવિધ વિષયોનું જ્ઞાન-વિજ્ઞાન આપવા અને વિવિધ કલાઓ શીખવવા અનેક વિદ્વાનો, વિશારદો અને કલાકારોને રાજાએ રોક્યા હતાં. કુમારને જ્ઞાનપ્રાપ્તિની અને કલાપ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા હતી જ,
કે તેણે લેખન-વાંચન શીખી લીધું.
ચિત્રકળા, નાટ્યકળા, ગીત અને વાદન શીખી લીધું. છે કાવ્યોમાં આર્યા આદિ છંદ શીખી લીધાં, માગધિકા, ગાથા, ગીતિ, લોક... વગેરે શીખી લીધાં.
સ્ત્રી-લક્ષણ, પુરુષ-લક્ષણ, અશ્વ-લક્ષણ, ગજ-લક્ષણ વગેરે લક્ષણશાસ્ત્ર ભણી લીધું.
છે. ચંદ્રચાર, સૂર્યચાર, રાહુચાર, ગ્રહચાર વગેરે જ્યોતિષ અંગેનું જ્ઞાન-વિજ્ઞાન મેળવી લીધું.
જે વિદ્યાઓ અને મંત્રોનાં રહસ્ય જાણી લીધાં. જ બૃહ, પ્રતિબૃહ, લશ્કર, છાવણી, નગરનિર્વશ... વગેરે જાણી લીધું. છેખાસ કરીને અપશિક્ષા અને હસ્તીશિક્ષા શીખી લીધી. હિરણ્યવાદ, સુવર્ણવાદ, મણિવાદ, ધાતુવાદ જાણી લીધા.
બાહુયુદ્ધ, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, મલ્લયુદ્ધ વગેરે તમામ પ્રકારનાં યુદ્ધોમાં નિપુણતા પામી લીધી.
- ધાન્યકળા અને ભોજનકળા પણ શીખી લીધી. તેણે અધ્યયનકાળમાં અધ્યયન જ કર્યું. તેણે દુનિયાની કોઈ કળા બાકી રાખી ન હતી, પરંતુ તેને અતિ પ્રિય હતી ચિત્રકળા! અને ગીત-સંગીતની કળા:
રક
રક
શ્રી સમરાદિત્ય મહાકથા
9996
For Private And Personal Use Only