________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉતરાપરના શંખપુર નગરના રાજમહેલમાં મધ્યરાત્રિના સમયે પણ દીપકો જલતાં હતાં. મહારાજા શાંખાયન અને રાણી કાન્તિમતી ગંભીર ચર્ચા કરી રહ્યાં હતાં.
‘દેવ, આપણી રનવતી માટે શું ત્રણે ભુવનમાં કોઈ યોગ્ય વર હશે ખરો?'
‘દેવી, “વહુરત્ના વરjઘર'! આ પૃથ્વી અનેક રત્નોને પેદા કરે છે... રત્નાવતીને યોગ્ય વર જરૂર મળશે.'
સ્વામી, પુત્રીના અદભુત રૂપને જોતાં અને એના વિશાળ વિજ્ઞાનનો વિચાર કરતાં... મને નથી લાગતું કે એને યોગ્ય વર મળી જાય! હવે રત્નાવતી વિવાહ યોગ્ય થઈ છે...' રાણીએ નિરાશાના સૂરો કી.
દેવી, ચિંતા ના કરો. રત્નાવતી જેમ રૂપવતી છે, ગુણવતી અને વિદ્યાવતી છે, તેવી રીતે તે પુણ્યશાલિની છે કે નહીં?”
છે ? દેવી, એનું પ્રબળ પુષ્પ જ એના માટે વર લઈ આવશે!' એટલે પછી આપણે કોઈ પ્રયત્ન નહીં કરવાનો?”
કરવાનો પ્રયત્ન. મેં ગઈ કાલે જ સુયોગ્ય પુરુષોને જુદાં જુદાં રાજ્યોમાં મોકલ્યા છે. તેઓ રાજકુમારોને જોશે. જે રાજકુમાર તેમને રનવતી માટે યોગ્ય લાગશે, તે રાજકુમારોનાં ચિત્ર લઈને આવશે! આપણે એ ચિત્ર જોવાનાં... પછી વરની પસંદગી કરવાની!'
બહું સારું કર્યું આપે... પ્રયત્ન કરવાથી ક્યારેક સફળતા મળી જાય...' કાન્તિમતીના મુખ પર આનંદ છવાયો.
૦ ૦ ૦ ભૂષણ અને ચિત્રમતી નામના બે ચતુર રાજપુરુષો અયોધ્યામાં આવ્યાં હતાં. તેઓ નગરની એક ધર્મશાળામાં ઊતર્યા હતા. તેમણે ધર્મશાળાના કાર્યવાહકના મુખે રાજકુમાર ગુણચંદ્રની પ્રશંસા સાંભળી... જોકે આવો અનુભવ તેમને બીજા રાજ્યોમાં પણ થયો હતો. પ્રજાજનો પોતપોતાના રાજ્યના કુમારોની પ્રશંસા કરે, તે સ્વાભાવિક હતું. કોઈ રાજ્યમાં કુમારની નિંદા કરનાર પણ મળ્યાં હતાં. પરંતુ આ બે વિચક્ષણ પુરુષો, કુમારોની નિંદા-પ્રશંસા સાંભળીને, નિર્ણય કરે, તેવા ન હતાં.
તેઓ ઉત્તમ ભેટ લઈને, રાજમહેલમાં ગયાં.
૧૧૭૦
ભાગ-૩ + ભવ આઠમો
For Private And Personal Use Only