________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્ત થયેલો વિષેણ મુનિ તરફ ધસ્યો.
ત્યાં જ દેવીએ એની છાતીમાં લાત મારી દીધી. તેના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. તે જમીન પર પડી ગયો. મૂચ્છિત થઈ ગયો.
દેવીએ વિચાર્યું. આ જગ્યામાં આ મહામુનિ રહેલા છે. આ મૂચ્છિત દુષ્ટ પુરુષને મંદિરની બહાર ૧૦૦ ડગલાંની બહાર મૂકી આવું. જેથી મહામુનિની સાધનામાં કોઈ વિક્ષેપ ના થાય!'
વિષેના શરીર પર એકેય શસ્ત્ર દેવીએ રહેવા ના દીધું. એના દેહને ઉપાડીને, વનની ગીચ ઝાડીમાં મૂક્યો. એની મૂચ્છ દૂર થઈ એટલે દેવીએ કરુણાથી પ્રેરાઈને એને ઉપદેશ આપ્યો.. અને દેવી અદૃશ્ય થઈ ગઈ.
દુષ્ટ પુષ્પો કોઈનો પણ ઉપદેશ હૃદયમાં ઉતારતાં નથી. દેવી અદશ્ય થઈ ગયા પછી વિષેણ પાછો રોષે ભરાય. “હું મારા વેરીને મારી ના શક્યો. મારે એના ટુકડે ટુકડા કરી નાખવા હતાં. પણ વચ્ચે આ દેવી આવી ગઈ.
આમ વિચારતો હતો, ત્યાં તો પાછળથી એની પીઠમાં ભાલો ખેંચ્યો. તે ઊભો થયો. પાછળ જંગલી શબરો હતાં. તેમના હાથમાં ભાલા હતાં. ઈશારાથી તેમણે વિષેણને આગળ ચાલવાં કહ્યું. વિષેણ ચાલવા માંડ્યો. ભૂખ અને તરસથી એના પ્રાણ જતાં હતાં. પરંતુ એ માનવભક્ષી શબરીના હાથમાં ફસાયો હતો.
‘વોખેિલ” નામની અટવીમાં, પેલા બે શબરો વિષેણને લઈ ગયાં. ત્યાં બીજા શબરી રહેલાં હતાં. ગીધડાઓને મારીને એનાં પીછાં ભેગા કરતાં હતાં. પછી એ ગીધોને રાંધ્યા વિના એમ જ ખાઈ જતાં હતાં. વિષેણને એ શબરીએ મારી નાખ્યો. એના માંસની મહેફિલ ઉડાવી. * વિષેણનો જીવ મરીને છઠ્ઠી નરકમાં ગયો. સેનમુનિએ અંતે સંલેખના કરી. અનશન કર્યું. પંડિત મૃત્યુ પામ્યા. તેમનો ભવ્ય આત્મા “નવમાં રૈવેયક દેવલોકમાં દેવ થયો.
ક
એક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧
For Private And Personal Use Only