________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અને આસન પાથર્યા વિના સાધુ સીધો ભૂમિ પર બેસી નથી શકતો. માટે ઉભડક પર્ગ બેસવાનો અભ્યાસ કરજે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવ હરિષેણે, સેનમુનિને ‘જિનકલ્પ’ની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ સંયમસાધનાની પૂર્વભૂમિકા સમજાવી દીધી. સૈનમુનિએ એ જ રીતે જીવનમાં અભ્યાસ શરૂ કરી દીધો.
આચાર્યશ્રી હરિષેણે પોતાની પાસે રહેલા અન્ય સાધુ-સાધ્વીને, તેઓની જિજ્ઞાસા પૂર્ણ કરવા, ‘જિનકલ્પ' અંગે કેટલીક માહિતી આપી, કારણ કે ત્યાં સાધુ-સાધ્વીના સમુદાયોને ખબર પડી ગઈ હતી કે સેનન ‘જિનકલ્પ'ની સાધના, જિનકલ્પનું જીવન સ્વીકારવાના છે! આચાર્યદેવે સર્વે જિજ્ઞાસુ સાધુ-સાધ્વીને સંબોધીને કહ્યું:
‘હે મહાનુભાવો, ‘જિનકલ્પ' સ્વીકારનાર સાધુને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન તો અવશ્ય જોઈએ. અને ઉત્કૃષ્ટ જ્ઞાન દશપૂર્વમાં કંઈક ઓછું! * તે મહાનુભાવનું સંઘયણ પહેલું ‘વજ્રઋષભનારાચ' જોઈએ.
* દીનતા વિના તે ઉપસર્ગો સહન કરનાર જોઈએ.
* જિનકલ્પી મુનિને રોગ થાય કે શરીર પર ઘા થાય, તે સહન કરે, પરંતુ ઔષધાદિ ચિકિત્સા ના કરાવે.
*લોચ, (કેશ લંચન) આતાપના, તપશ્ચર્યા વગેરેની વેદના સહન કરે. * ‘જિનકલ્પી’ મુનિ એકલા જ રહે, એકલા જ વિચરે.
* ‘જે સ્થાનમાં રહે, તેમાં ઊંદર વગેરેનાં દર હોય તો બંધ ના કરે. મકાનનાં દ્વાર બંધ ના કરે, સાંકળ ન લગાડે.
* ઘાસની ઝૂંપડીમાં એ મુનિ રહેલા હોય અને પશુઓ એ ઝૂંપડીનું ઘાસ ખાતા હોય તો પશુઓને રોકે નહીં.
૧૧૫૨
* મકાનમાલિક જો કોઈ શરત કરીને, ઊતરવા માટે સ્થાન આપતો હોય તો તેવા સ્થાનમાં ‘જિનકલ્પી’ મુનિ ના રહે.
* કોઈને સૂક્ષ્મ પણ અપ્રીતિ થતી હોય તો તેવા સ્થાનનો ત્યાગ કરે,
* જે સ્થાનમાં દેવ-દેવીને પશુ-બિલ કે ન૨-બલિ ચઢાવાતો હોય, દીપક સળગાવાતો હોય, અંગારા કે જ્વાલા સળગતા હોય તો ત્યાં જિનકલ્પી ના રહે.
* સ્થાનનો માલિક કોઈ કામ ભળાવતો હોય, તેવા સ્થાનમાં જિનકલ્પી ના
રહે.’
For Private And Personal Use Only
ભાગ-૩ ૪ ભવ સાતમો