________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* એ તપશ્ચર્યા એવી રીતે કરવાની છે કે તારે સાધુજીવનમાં જે અનુષ્ઠાના કરવાનાં છે, તેમાં ખામી ના આવે.
નિર્દોષ-પ્રાસુક આહાર જ ગ્રહણ કરવાનો. એ ન મળે તો છ મહિના સુધી ભૂખ્યાં રહેવાનું!
આ રીતે તપશ્ચર્યાના ફળરૂપે તારે અલ્પાહારી બનવાનું છે.
ઈન્દ્રિયોને એના સ્પર્શાદિ વિષયોમાં જવા દેવાની નથી. વત્સ, તારે મધુર આહારના વિષયમાં નિઃસંગ બનવાનું છે. તારે ઈન્દ્રિયવિજેતા બનવાનું છે,
બીજી છે સત્ત્વભાવના. એમાં હે મહામુનિ, તારે પાંચ “પ્રતિમાનું પાલન કરવાનું છે. એ પાંચ પ્રતિમાનું સ્વરૂપ તને હું બતાવું છું:
શૂન્ય... અવાવર... અંધારિયા ઉપાશ્રયમાં નિદ્રાનો ત્યાગ કરી, કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહી, ભયને જીતીને તારે નિર્ભય બનવાનું છે. ઉપાશ્રયમાં ઊંદર, બિલાડી વગેરે પશુઓ ફરતાં હશે. તેમના ઉપદ્રવો સારી રીતે સહવાના. ત્યાંથી ભય પામીને નીકળી જવાનું નહીં.
* રાત્રિના સમયે ઉપાશ્રયની બહાર, તારે કાયોત્સર્ગથ્થાને ઊભા રહેવાનું. ઊંદર ભલે કરડે, બિલાડી કે કૂતરા ભલે સતાવે... કે ચોર-ડાકુ પ્રહાર કરે... તારે ડરવાનું નહીં. એ બધા જ ઉપદ્રવોને સમતાભાવે સહન કરવાના - આ રાત્રિના સમયે, જ્યાં ચાર માર્ગ ભેગા થતા હોય ત્યાં જઈને, કાયોત્સર્ગધ્યાને ઊભા રહેવાનું. પશુઓ, ચોર-ડાકુઓ વગેરેના ભય જીતવાના. નિર્ભય બનવાનું.
જ પડતર... શુ ગૃહમાં જઈને, રાત્રિના સમયે ધ્યાનસ્થ બનીને રહેવાનું. ભય નહીં પામવાનો.
સ્મશાનમાં જવાનું રાત્રિના સમયે! સ્મશાનમાં કાયોત્સર્ગધ્યાને ઊભા રહેવાનું. ત્યાં પશુ અને મનુષ્યના ભયો ઉપરાંત દૈવી ઉપદ્રવોથી પણ નિર્ભય બનવાનું છે! હે વન્સ, દિવસ હો કે રાત હો, તારે દેવ-દાનવોથી કે રાક્ષસોથી પણ ડરવાનું નથી, તો જ તું “જિનકલ્પને નિર્ભયતાથી પાળી શકીશ. - ત્રીજી છે સુત્રભાવના. હે મુનિવર, કાળનું પ્રમાણ જાણવા માટે, તારે એવો શ્રુતાભ્યાસ કરવાનો છે કે એ શ્રુત તારા નામ જેવું અભ્યસ્ત થઈ જાય. સૂત્રાર્થના પરિશીલન દ્વારા તારા અન્ય સંયમાનુષ્ઠાનોનો પ્રારંભકાળ અને સમાપ્તિકાળ જાણી લેવાનો છે. દિવસ અને રાત્રિનો સમય જાણી લેવાનો છે. જ્યારે કેટલામો પ્રહર... ઘડી ચાલે છે, તે જાણી લેવાનું. “છાયા' માપીને તારે આવશ્યકનો સમય, ભિક્ષાનો સમય અને વિહારનો સમય જાણી લેવાનો.
પ0
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only