________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[8353
• વિશ્વપુરમાં દીક્ષા નિમિત્તે મહોત્સવ ઉજવાયો. તે પછી ચંપાનગરીમાં દીક્ષા મહોત્સવ ઉજવાયો. રાજકુમાર અમરસેનનો રાજ્યાભિષેક થયો. સેનકુમાર, શાન્તિમતી, કુલપતિ, અમરગુરુ... વગેરે અનેક રાજપુરુષોએ
પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્ર, યોગ. સમયે, આચાર્યશ્રી હરિફેણ પાસે દીક્ષા ગ્રહણ કરી.
સહુએ ગુરુદેવ પાસે ધાર્મિક અધ્યયન કર્યું. સૂત્ર થયાં અને અર્થજ્ઞાન પ્રાપ્ત કર્યું. સાધુજીવનની ક્રિયાઓ અપ્રમત્તભાવે કરવા માંડી.
વર્ષો વીત્યાં.
આચાર્યદેવે સેનમુનિને શ્રમણજીવનની શ્રેષ્ઠ કોટિની આરાધના, જેને “જિનકલ્પ” કહેવામાં આવે છે, તે સમજાવી.
આચાર્યદેવે સેનામનિને કહ્યું: “હે મહાભાગ, તારે “જિનકલ્પ' સ્વીકારવો છે ને? તે માટે તારે પાંચ પ્રકારની ભાવનાઓથી આત્માને ભાવિત કરવાનો છે.
૧. તપોભાવના. ૨. સત્ત્વભાવના ૩. સૂત્રભાવના. ૪. એકત્વભાવના અને ૫. બળભાવના.
તપભાવનામાં તું જે તપ કરવા ધારે, જ્યાં સુધી તે તપ સ્વભાવભૂત ના થઈ જાય ત્યાં સુધી તારે એનો અભ્યાસ ચાલુ રાખવાનો. એ તપને છોડી દેવાનો નહીં.
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૪
For Private And Personal Use Only