________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાજી, અહીં કે ચંપામાં, જે કંઈ કરવાનું છે તે આપે જ કરવાનું છે. આપ જ પિતા છો, આપ જ સર્વસ્વ છો.' કુમારે મહારાજાનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું. સાથે સાથે શાન્તિમતીએ પણ.
કુમાર, જેટલા દિવસ સંસારમાં છે, બાળકુંવરને પિતાનો અગાધ પ્યાર આપી દે! જેમ તારા પિતાનાં પદચિહ્નો પર તું જાય છે તેમ તારા પદચિહ્નો પર એને એક દિવસ ચાલવાની ઈચ્છા થાય.”
બાળકુંવર અમરસેન ભરનિદ્રામાં પોઢેલો હતો. મહારાજાએ એના પર એક દષ્ટિ નાખી ને તેઓ ચાલ્યા ગયા.
શાન્તિમતીએ કુમાર સામે જોયું. કુમારે શાન્તિમતીની સ્થિર દૃષ્ટિમાં જોયું. બંને બે મિનિટ સુધી ઊભા રહ્યાં. શાન્તિમતીએ મૌન તોડ્યું. નાથ!”
હું પણ આપની સાથે જ ચારિત્ર લઈશ. આપના વિના હું મહેલમાં રહી શકીશ નહીં.”
પરંતુ આ કુમાર!” “એનો મોહ તોડી શકીશ.” એની સંભાળ કોણ લેશે?” એનું પુણ્યકર્મ...!' કુમાર મૌન થઈ ગયો. શામિતીનો નિર્ણય ગમ્યો, પણ કુમારની ચિંતા ઘેરી વળી. શાન્તિમતીએ કુમારના ભાવ જાણ્યા. નાથ, ચિંતા ના કરો. કુમારના સારા ઉછેરની સારી વ્યવસ્થા થઈ જશે!” પરિચારિકાએ આવીને કહ્યું: ‘દ્વાર પર પલ્લીપતિ આવીને ઊભા છે!” આવવા દે.”
:
૧૧૮
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only