________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજાયું કુમાર, તો પછી તે વિષેણનો આગ્રહ છોડી દે. અને રાજસિંહાસન તું જ ગ્રહણ કર.'
“પિતાજી, યુદ્ધ પૂરું થયા પછી, ચંપાના બાહ્ય ઉદ્યાનમાં આચાર્ય હરિપેણ શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. આપ જાણો છો કે હરિષ રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધેલી છે. તેઓ પાસે જ હું ઊછરીને મોટો થયો છું. મારા માટે તેઓ પિતા કરતાં અધિક હતા, અને હવે તેઓ જ્ઞાની-તપસ્વી મહાપુરુષ બની ગયા છે.'
અહો, હરિપેણ આચાર્ય ચંપામાં પધાર્યા છે?'
હાજી, અને એમનો ધર્મોપદેશ સાંભળીને, મારું મન સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. સંસારના કોઈ સુખ પ્રત્યે મારા મનમાં આસક્તિ રહી નથી. મેં ચારિત્રધર્મ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો છે. આપની અનુમતિ લેવા આવ્યો છું.'
‘તું દીક્ષા લઈશ?' મહારાજાને મૂર્છા આવી ગઈ. રાજપરિવાર ભેગો થઈ ગયો. ઉપચાર કર્યો. મહારાજાની મૂછ દૂર થઈ પણ તેઓ કુમારને પોતાના ઉત્સંગમાં લઈ રડવા લાગ્યા. રાજપરિવાર મૂંઝાયો - કુમાર વિજયી બનીને આવ્યા છે. પછી મહારાજા કેમ રડે છે?” ત્યાં જ મહારાજા બોલ્યા:
‘ત્સ, સાધુજીવન શ્રેષ્ઠ છે, એ તું ગ્રહણ કરે તેથી હું રાજી છું. પરંતુ હમણાં નહીં. યુવાનવય પૂર્ણ થયા પછી તું દીક્ષા લેજે, અત્યારે તારી ઘણી બધી જવાબદારીઓ
“પિતાજી, મહાકાળનો કોઈ ભરોસો નથી. ક્યારે પણ આયુષ્ય પૂર્ણ થઈ શકે છે. ક્યારે પણ શરીર જર્જરિત બની શકે છે. અને ક્યારે પણ ભાવનાઓ બદલાઈ શકે છે. માટે શુભ કાર્યમાં વિલંબ કરવાની જ્ઞાની પુરુષો ના પાડે છે. પિતાજી, યૌવનકાળમાં જ સંયમધર્મનું યથાર્થ પાલન કરી શકાય છે. જ્ઞાનપ્રાપ્તિનો પ્રબળ પુરુષાર્થ કરી શકાય છે. તીવ્ર તપશ્ચર્યા કરી શકાય છે.”
તારી વાત સાચી છે કુમાર, પરંતુ તારા વિના મારું જીવન નીરસ બની જશે. જીવવું કઠણ થઈ જશે. તારા પર અમને અપાર પ્રેમ છે, એ તું જાણે છે.'
“હે પૂજ્ય, મને પણ આપના પ્રત્યે નેહ છે, સદ્દભાવ છે. આપના મારા પર અનેક ઉપકારો છે.. અને એટલે જ આપનાં દર્શન કરી, આપની અનુમતિ લેવા આવ્યો છું. આપના પ્રત્યેનો સ્નેહ હવે લૌકિક નહીં રહે, દુનિયાદારીનો નહીં રહે. આપના પ્રત્યેનો નેહ હવે દિવ્ય બની જશે. આત્માનો આત્મા સાથે પ્રેમ થઈ જશે. એમાં મોહ નહીં હોય, સ્વાર્થ નહીં હોય, એમાં હશે આત્મકલ્યાણની ભાવના. એમાં હશે વિશુદ્ધ આત્મા સાથેનું તાદાભ્ય!”
૧૧૪
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only