________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પલ્લીપતિનો પરિચય કરાવ્યો. પલ્લીપતિની વાતોથી અમરગુરુ ઘણો પ્રભાવીત થયો. અમરગુરુએ ખાનગીમાં પલ્લીપતિને પણ વાત કરી કે “મહારાજ કુમાર જ ચંપાના રાજા બનવા જોઈએ. હું સમજાવવા જ અહીં આવ્યો છું. વિણકુમાર રાજ્યને સાચવી નહીં શકે... માટે તમે પણ કુમારને સમજાવજો.” પલ્લીપતિએ આનંદ વ્યક્ત કર્યો પણ કહ્યું: “મહારાજા સમરકેતુ કુમારને નહીં છોડે... એ પણ વિશ્વપુરનું રાજ્ય કુમારને જ આપવા ઈચ્છે છે.”
અમરગુરુએ કહ્યું: “પરંતુ હજુ ૧૦-૧૫ વર્ષ તો સમરકેતુ રાજ્ય કરશે! ત્યાં સુધીમાં નવો રાજકુમાર તૈયાર થઈ જશે! અને એ દરમિયાન જો એમને પુત્રની પ્રાપ્તિ થઈ જાય.. તો પછી ચિંતા જ નહીં.”
પલ્લીપતિએ કહ્યું: ‘જો મહારાજકુમાર ચંપા પધારશે તો હું પણ તેમની સાથે અવશ્ય ચંપા આવીશ.' “અવશ્ય પધારજો!”
૦ ૦ ૦ અમરગુરુ, આપણે આપણા બે ગુપ્તચર અહીંથી મોકલીએ ચંપામાં. તમે ત્યાં કોને મળવું.. ક્યાં રહેવું વગેરે સમાવી દો.'
આપની વાત બરાબર છે. હું ગુપ્તચરોને બધું માર્ગદર્શન આપું છું.” અમરગુરુને કુમારની વાત યોગ્ય લાગી.
કુમારે મહામંત્રી જીવાનંદને બોલાવીને, બધી વાત સમજાવી. જીવાનંદે બે કુશળ ગુપ્તચરોને બોલાવીને, અમરગુરુને સોંપ્યા. અમરગુરુએ બંનેને ચંપા જવાનું સમજાવ્યું. તેમનું કાર્ય સમજાવ્યું. ક્યાં રહેવાનું, કોના સંપર્કમાં રહેવાનું, વગેરે સમજાવીને વિદાય કર્યો.
અમરગુરુએ સેનકુમારને કહ્યું: “મહારાજ કુમાર, મારું તો સ્પષ્ટ મંતવ્ય છે કે વિષેણકુમાર ચંપાનું રાજ્ય નહીં સાચવી શકે. એમની નબળાઈ આસપાસના રાજાઓ જાણી જશે. જે રાજા ચંપાથી વધુ બળવાન છે, તે જરૂર ચંપા પર વિજય મેળવવા ચઢી આવશે. મહારાજ કુમાર, સત્તા પરિવર્તન થવાનું! મારા પિતાજી કહેતાં હતાં. એક અષ્ટાંગ નિમિત્તના પારગામી સિદ્ધપુત્રે કહેલું કે “અલ્પકાળ માટે પણ ચંપામાં સત્તા પરિવર્તન થશે.”
સેનકુમારે કહ્યું: ‘જો વિણકુમાર સેનાને બરાબર સાચવી શકે તો, ચંપાની સેના, આસપાસના કોઈ પણ રાજ્યની સેના કરતાં ચઢિયાતી છે. એને કોઈ જીતી ના શકે.'
પરંતુ, વિષણકુમારે તો પહેલું જ કામ સામંતોને નારાજ કરવાનું કર્યું! સેનાનો ૧૧૧
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only