________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધાર જ સામંતો છે. સામંત જો કુમારના પક્ષે ના રહે, તો કુમારની યુદ્ધમાં હાર થવાની જ છે.” 'તો તો મારે ચંપા આવવું જ પડશે!” મને તો લાગે છે કે ચંપાને આપે સંભાળવી પડશે.'
0 0 ૦ શાન્તિમતીની દાસીએ આવીને કુમારને કહ્યું: “આપને યુવરાજ્ઞી યાદ કરે છે. આપ તરત જ પધારો.'
કુમાર શાન્તિમતીના ખંડમાં ગયો. શાન્તિમતી પલંગમાં સૂતેલી હતી, પરંતુ અસ્વસ્થ લાગતી હતી. પલંગ પાસેના એક ઊંચા આસન ઉપર કુમાર બેઠો. દાસીએ કહ્યું: ‘દેવીને ગર્ભની પીડા ઊપડી છે. અમારી બધી તૈયારી છે. કદાચ આજે રાત્રિના સમયે પુત્રજન્મ થાય. આપ જાગતા રહેજો.’
કુમારે કહ્યું: ‘પુત્રજન્મનો સમય બરાબર નોંધી રાખજો, જેથી એની ‘જન્મપત્રિકા બનાવડાવી શકાય.” થોડો સમય કુમાર શાન્તિમતી પાસે બેઠો. શાન્તિમતીએ કુમારને કહ્યું: ‘નાથ, પુત્રજન્મ થયા પછી હું ગરીબોને દાન આપીશ. શાશ્વત ગિરિરાજની યાત્રા કરીશ. સાધુપુરુષોને દાન આપીશ. હાથી પર બેસીને જિનમંદિરે જઈશ.” બોલતાં બોલતાં એણે ચીસ પાડી. વેદનાથી અત્યંત વ્યથિત બની.
દાસીએ કુમારને સ્વસ્થાને જવાનો ઈશારો કર્યો. તેણે શાન્તિમતીને તરત જ ઔષધ પાઈ દીધું. ધીરે ધીરે તેની વેદના ઓછી થવા લાગી. દિવસ પૂર્ણ થયો. રાત્રિનો પ્રારંભ થયો.
શાન્તિમતીના શયનખંડને, પુત્રજન્મ વખતે જે જે આવશ્યક સામગ્રી જોઈએ, તે સામગ્રીથી સજાવી દીધો હતો. બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરી લીધી હતી. દાસીઓ અંદર સાવધાન હતી. નોકરો બહાર જાગ્રત બેઠા હતાં. કુમાર પણ અમરગુરુ સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો.
ક મહાસુદી પંચમીનો દિવસ હતો. - ગુરુવાર હતો. છે પુષ્ય નક્ષત્ર હતું. છે અમૃતસિદ્ધિ યોગ હતો. ક મધ્યરાત્રિનો સમય હતો.
એ વખતે શાન્તિમતીએ પુત્રને જન્મ આપ્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧૧
For Private And Personal Use Only