________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'999
એક રાત્રે શાન્તિમતીને સુંદર સ્વપ્ન આવ્યું. છે. તેણે આકાશ-સ્પર્શી કલ્પવૃક્ષ દેખ્યું. આ ત્રણે લોકના જીવોનાં મન-નયનને આનંદ આપનાર,
એ કલ્પવૃક્ષ અખંડ પત્રસમૂહથી અલંકૃત હતું. તમાલપત્ર, મેઘ, ભ્રમર અને અંજનના જેવા રંગ જેવું હતું. ડાળીઓ પર પુષ્પો અને ફળો લચી પડેલાં હતાં. * ભ્રમરોના લયયુક્ત અને તાલબદ્ધ સંગીતવાળું હતું. છે એ કલ્પવૃક્ષ પર અનેક પક્ષીઓ આશ્રય કરીને પડેલાં હતાં. છે એના પર કોયલના મધુર ટહુકાર થતાં હતાં. આવું કલ્પવૃક્ષ શાન્તિમતીના મુખમાં થઈને તેના ઉદરમાં પ્રવેશ કરે છે!
આ સ્વપ્ન જોઈને તે જાગી. તેણે સેનકુમારને સ્વપ્ન કહી બતાવ્યું. સેનકુમારે કહ્યું: હે સુંદરી, ત્રણે લોકમાં પ્રિય બનશે એવા પુત્રને તું જન્મ આપીશ! તું પુત્રરત્નની માતા બનીશ.”
શાન્તિમતી આનંદવિભોર બની.
કુમારે શાન્તિમતીની સેવામાં અનુભવી એવી એક દાસીનો વધારો કર્યો. મહારાજા સમરકેતુએ અંતઃપુરની રાણીઓને આજ્ઞા કરી: શાન્તિમતી ગર્ભવતી બની છે, એની કાળજી રાખો.” આમેય શાન્તિમતી અંતઃપુરમાં પ્રિય હતી. રાણીઓ કાળજી રાખવા માંડી, એની સાથે સાથે અંતઃપુરની દાસીઓ કાળજી લેવા માંડી. શાન્તિમતીનો ખંડ મોટાં ઘરની સ્ત્રીઓથી ભરેલો રહેવા માંડ્યો.
આ સમાચાર કુમારે પલ્લીપતિને મોકલ્યા. પલ્લીપતિ શાન્તિમતી માટે ઉત્તમ વસ્ત્રો અને અલંકારો લઈને આવી પહોંચ્યો. કુમાર પલ્લીપતિને ભેટી પડ્યો. પલ્લીપતિએ શાન્તિમતીની સામે વસ્ત્રો અને અલંકાર મૂકીને કહ્યું: “હે દેવી, સુખપૂર્વક ગર્ભનું વહન કરજો. પુત્રજન્મના શુભ સમાચાર મળશે કે તરત જ અમારી આખી પલ્લી દોડી આવશે, નવજાત કુમારનાં વધામણાં કિરવા!'
કુમારના આગ્રહથી પલ્લીપતિ થોડા દિવસ રોકાયો. કુમારે ચંપાના મંત્રીપુત્ર સાથે
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૦૯
For Private And Personal Use Only