________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને કબૂલ છે.' આચાર્યદેવે તેને અનશનવ્રત આપ્યું. આચાર્યદેવે કટક ચોરને કહ્યું: “વત્સ, હવે તારે ખાવાનું નહીં કે પીવાનું નહીં. મુખમાં કંઈ જ નાખવાનું નહીં. એક જ કામ કરવાનું – શ્રી નવકારમંત્રનું સ્મરણ કરતાં રહેવાનું. હું તને નવકાર મંત્ર યાદ કરાવું છું. સર્વ મંત્રોમાં આ શ્રેષ્ઠ મંત્ર છે. આ મહામંત્રને જપતાં જપતાં જે મૃત્યુ પામે, તે અવશ્ય દેવગતિ પામે છે. તેનાં ઘણાં ઘણાં પાપ ધોવાઈ જાય છે.
હે વત્સ, * પદ્માસને બેસજે. એ નાસિકાના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થાપિત કરજે. છે આ મહામંત્રમાં જે પાંચ પરમેષ્ઠિ છે, તેમને તેમના રંગમાં ધ્યાન કરજે. * અરિહંતનું શ્વેત રંગમાં ધ્યાન કરજે. * સિદ્ધોનું લાલ રંગમાં ધ્યાન કરજે,
આચાર્યોનું પીળા રંગમાં ધ્યાન કરર્જ. ઉપાધ્યાયોનું લીલા રંગમાં ધ્યાન કરજે, આ સાધુઓનું કાળા રંગમાં ધ્યાન કરજે,
છે તે તે માનસિક આકૃતિ પર સ્થિર થવાનું. મનમાં બીજો કોઈ જ સંકલ્પવિકલ્પ નહીં કરવાનો.
અપ્રમત્ત ભાવે બેસવાનું.
હું તને રોજ નવકારમંત્રના વિષયમાં બોધ આપીશ. જો મન સ્થિર ના રહે તો મધ્યમ સૂરે બોલીને, આ મહામંત્રનો જાપ કરવાનો. બોલીને પણ આ મહામંત્રનો જાપ કરી શકાય છે. જાપ કરતાં કરતાં પંચ પરમેષ્ઠિના ધ્યાનમાં લીન થવાનું.
૦ ૦ ૦ આચાર્યદેવે, અનશનવ્રત ધારણ કરીને બેઠેલા કટક' ચોરને અંતિમ આરાધના કરાવતાં કહ્યું:
“હે વત્સ, જે સમયે તે નવકાર મંત્રનો જાપ ના કરતો હોય એ વખતે, તારે તારાં જીવનનાં હિંસા વગેરે પાપો યાદ કરવાનાં.... અને મેં કેવું ખોટું કર્યું?' એમ આ પાપો તરફ ધૃણા પેદા કરવાની. જેમ કે -
“મેં ઘણા જીવોની હિંસા કરી. માર્યા, ત્રાસ પમાડ્યા. દુઃખ આપ્યું. ખોટું કામ કર્યું. મારું આ પાપ મિથ્યા થાઓ.”
હું ઘણી વાર જૂઠું બોલ્યો. માયા કરી. બીજાને છેતર્યા. બીજાઓ પાસે જૂઠું બોલાવડાવ્યું. ખૂબ ખોટું કામ કર્યું. મારું આ પાપ મિથ્યા થા.” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧3c
For Private And Personal Use Only