________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૧૭૫
આચાર્યશ્રી અમરેશ્વરે રાજા બ્રહ્મદેવને કહ્યું :
રાજન, એક વાર મનુષ્ય સંસારનું સર્વાગીણ સ્વરૂપ જાણી લેવું જોઈએ. સંસારની ચાર ગતિને સમજવી જોઈએ. એ ચાર ગતિમાં (દવ, મનુષ્ય, તિર્યંચ અને નારફ) જીવોને ઉત્પન્ન થવાની ૮૪ લાખ યોનીની સમજણ મેળવવી જોઈએ.
* કેવા પાપ-પુણ્ય કરવાથી જીવ કઈ ગતિમાં ઉત્પન્ન થાય, તે કાર્ય-કારણ ભાવ જાણી લેવો જોઈએ.
છે તે તે ગતિનાં સુખ-દુઃખોને યથાર્થરૂપે જાણી લેવાં જોઈએ. સંસાર-સ્વરૂપને જાણવા સાથે, “મોક્ષ'નું સ્વરૂપ પણ જાણવું જોઈએ. મોક્ષનું યથાર્થ સ્વરૂપ જાણ્યા પછી જ મોક્ષદશા ગમે! એ ગમે તો જ તે મોદશા પામવા માટે અભિલાષા જાગે. માટે મોક્ષનું સ્વરૂપ તો જાણવું જ જોઈએ.
મોક્ષમાં માત્ર સ્વતંત્ર આત્માનું જ અસ્તિત્વ હોય છે. આત્મા ત્યાં પૂર્ણ જ્ઞાની હોય છે. કે વીતરાગ હોય છે. છે અનંત શક્તિવાળો હોય છે. આ અનંત દર્શની હોય છે. અરૂપી અને અજર-અમર હોય છે.
અનામી અને અક્ષય હોય છે. જે ફરીથી એ કર્મ બાંધતો નથી, તેથી સંસારમાં આવતો નથી, છે ત્યાં પૂર્ણાનંદ હોય છે.
પરમ તૃપ્તિ હોય છે. ક્યારેય અતૃપ્તિ પેદા થતી નથી. આવો મોક્ષ પામવા અપ્રમત્ત બનવું જ પડે, અને એ માટે જે આરાધના કરવાની કહી છે, તે આરાધના અપ્રમત્ત ભાવે કરવી જોઈએ.
અજ્ઞાન દશામાં, મોહાંધ દશામાં જે પાપ કર્યો હોય, તે બધાં પાપ યાદ કરીને આત્મસાક્ષીએ, ખૂબ જ વૈરાગ્યથી નિંદા કરવી જોઈએ.
મન-વચન-કાયાથી જે જે પાપો યાદ આવે, તે યાદ કરીને, સ્વયં એની નિંદા કરવાની, એ પાપો તરફ ધૃણા કરવાની.
એ ઘણા ત્યારે થશે જ્યારે તમે વૈરાગ્યથી ભીંજાયેલા હશો! તમારું અંતઃકરણ પાપોથી ગભરાયું હશે! તો જ પાપોનો પશ્ચાત્તાપ થશે. અને આ પશ્ચાત્તાપ થવો, ૧૧39
ભાગ-૩ % ભવ સાતમો
For Private And Personal Use Only