________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું હમણાં, જ્યાં સુધી વિષેણ મહારાજા અહીં ના આવે ત્યાં સુધી, અહીં જ નગરની બહાર રહીશ. એટલે મુક્તાપીઠના પરિવારની વ્યવસ્થા કરીને, તમે વિષેણ મહારાજાની તપાસ કરાવડાવો, મારી ઈચ્છા, એમને જ ચંપાના સિંહાસને બેસાડવાની છે. જે રાજપુરુષ એમની પાસે જાય, તે એમને મારો આ સંદેશ આપે કે પિતાએ અને દાદાએ ઉપાર્જન કરેલું રાજ્ય તમે આવીને સંભાળો.'
ચંપાનગરીની બહાર કપડાના સુંદર આવાસો બની ગયા. નગરજનોને ખબર પડી કે, “સેનકુમાર ત્યાં સુધી નગરમાં પ્રવેશ નહીં કરે જ્યાં સુધી વિષેણકુમાર નહીં આવે.’ નગરજનો નારાજ થયા. તેઓ વિચારવા લાગ્યા. આપણી ભવિતવ્યતા જ વિપરીત જણાય છે, જેથી સેનકુમાર આવો વિચાર કરે છે. નહીંતર તેઓ શું નથી જાણતા કે એમને મારી નાખવા માટે વિષેણે કેટલા ધમપછાડા કર્યા હતાં! છતાં સેનકુમારની ઈચ્છા વિષેણને બોલાવીને, એને જ રાજા બનાવવાની છે!' નગરશ્રેષ્ઠીઓ તો, જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે, સેનકુમારની ઈચ્છા પર જ વાત નાખી દીધી.
અમરગુરુએ મોકલેલા બે રાજપુરુષો પાછા આવી ગયા. તેમણે સેનકુમારને કહ્યું: “અમે વિષેગને શોધતાં શોધતાં “કૃતમંગલા' નગરીમાં ગયા. ત્યાં વિષેણ અમને મળી ગયાં. અમે પહોંચ્યા એ પૂર્વે એને, આપના પરાક્રમની જાણ થઈ ગઈ હતી. એ એટલું જ બોલ્યો: “યુદ્ધમાં સેનકુમારે મુક્તપીઠને હણ્યો અને ચંપા પાછી લીધી. મેં આટલું સાંભળ્યું છે.”
અમે વિષેણને કહ્યું: ‘અમે સેનકુમારનો સંદેશ લઈને આવ્યા છીએ. તેઓ આપને પુનઃ રાજ્યસિંહાસન પર બેસાડવા ઈચ્છે છે. અને જ્યાં સુધી આપ નહીં આવો ત્યાં સુધી તેઓ નગરપ્રવેશ કરવાની ના પાડે છે. અત્યારે તેઓ નગરની બહાર કપડાના તંબૂઓમાં રહેલા છે.”
અમારી વાત સાંભળીને, એનો ચહેરો નેિજ થઈ ગયો, કરમાઈ ગયો. તેનું મન ખિન્ન થઈ ગયું. તેણે કહ્યું:
“બીજાનું દયા-દાન મને નથી ખપતું. હું એનું મેળવેલું રાજ્ય સ્વીકારવા નથી માગતો. તમે જાઓ, ફરીથી ના આવશો.”
મહારાજ કુમાર, આપ આગ્રહ છોડી દો. આમેય ચંપામાં કોઈ વિષેણને ચાહતું નથી. એ પાપી છે, અભિમાની છે.”
સેનકુમાર ગંભીર વિચારમાં ડૂબી ગયો. અમરગુરુએ કુમારને કહ્યું: “મહારાજ કુમાર, વિષણ આપનો પૂર્વજન્મોનો શત્રુ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧૧c
For Private And Personal Use Only