________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજાનાં દર્શન કરી કૃતાર્થ થાય, હર્ષિત થાય. આપ પણ અહીં છો. પિતાજી પણ અહીં પધાર્યા... એટલે પ્રજાના હર્ષની કોઈ સીમા નહીં રહે.”
ચંપાનગરીમાં જેમ જેમ સમાચાર ફેલાતાં ગયાં, તેમ તેમ લોકો “નષ્ટશોક” ઉઘાન તરફ દોડવા લાગ્યાં. આચાર્ય ભગવંત,
શરદ ઋતુના નિર્મળ જળ જેવા નિર્મળ ચિત્તવાળા હતાં. મોહના અંધકાર વિનાના, જ્ઞાનના દિવ્ય પ્રકાશવાળા હતાં. * મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરનારા હતાં.
આલોક-પરલોકનાં ભૌતિક સુખોની આસક્તિ વિનાના હતાં. શિષ્યવર્ગના માટે ચિંતામણિ રત્ન સમાન હતાં.
પ્રત્યક્ષ મુક્તિમાર્ગ હતાં આવા હરિષણ આચાર્યનાં કુમારે દર્શન ક્યાં અને વંદના કરી. ભગવંતને જોતાં જ કુમારનો દેહ રોમાંચિત થઈ ગયો. આંખો આનંદનાં આંસુઓથી ઊભરાઈ ગઈ. આચાર્યદેવે કુમારને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો.
કુમાર આચાર્યદેવના ચરણોમાં બેઠો.
આચાર્યદેવ બોલ્યા: “હે કુમાર, તું ચાલ્યો ગયો - એ જ મારા તીવ્ર વૈરાગ્યનું નિમિત્ત બન્યું. ખરેખર, આ સંસારવાસ એના સ્વભાવથી જ નિર્ગુણી છે. આ સંસારમાં સંયમ જ સારભૂત તત્વ છે. એ જ ગ્રહણ કરવા યોગ્ય છે. બાકી તો સંસાર, અનેક ક્લેશોથી અને વિવિધ દુઃખોથી ભરપૂર છે. આ સંસારમાં જીવો,
ધન મેળવવા ગમે તેવા અધમ પુરુષાર્થ કરે છે. બીજા જીવોને પીડા આપીને, કષ્ટ સહીને સંપત્તિ મેળવે છે.
જીવના મનોરથોને ભાંગીને, ભુક્કો કરી નાખનારું મૃત્યુ સર્વત્ર પોતાનો પ્રભાવ બતાવે છે.
થોડો પણ કરેલો પ્રમાદ દીર્ધકાળપર્યત અનર્થકારી બને છે. મારા ગુરુદેવ “સુગૃહિતજી' એ મને એક કથા કહી હતી તે કથા હું તને કહું છું:
એક
રૉક
રાક
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧
For Private And Personal Use Only