________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. શોક-વેદના: ભયથી નારકીના જીવો સદા શોકાતુર રહે. આચાર્યદેવે રાજાને કહ્યું: ‘રાજેશ્વર, હવે તમને પરસ્પરકૃત વેદનાઓ કહું છું. મિથ્યાદષ્ટિ નારકો પરસ્પર એકબીજાને વેદના આપે.
જેમ એક શેરીનો કૂતરો બીજા શેરીના કૂતરાઓને જોઈ, એના પર તૂટી પડે, તેમ એક નારકી, બીજા નારકીને જોઈ, ક્રોધથી ધમધમતો તૂટી પડે છે.
કે વૈકિય રૂપ કરીને, ક્ષેત્રપ્રભાવથી પ્રાપ્ત થતાં શસ્ત્રો લઈને, તેઓ એકબીજાના ટુકડા કરી નાખે છે, કતલખાનામાં જેમ કસાઈ પશુના ટુકડે-ટુકડા કરી નાખે તેમ -
સમ્યગ્દષ્ટિ જીવો, બીજાઓ દ્વારા થતી પીડાઓને, તાત્ત્વિક વિચારણાથી સહન કરે છે. તેથી મિથ્યાદૃષ્ટિ નારકો કરતાં ઓછી પીડાવાળા અને વધુ કર્મક્ષય કરનારા હોય છે.
* મિથ્યાષ્ટિ નારકો, ક્રોધના આવેશથી પરસ્પર પીડા કરતાં હોવાથી ખૂબ દુઃખ અનુભવે છે અને ખૂબ કર્મો બાંધે છે.
હે રાજન, નરકમાં પરમાધામી દેવો, નારકીઓને કેવી પીડા આપે છે, તે સાંભળો.
આ ધખધખતી લોખંડની પૂતળી સાથે જીવને ભેટાવે છે. છે. અત્યંત તપેલો સીસાનો રસ પિવડાવે છે.
શસ્ત્રોથી ઘા કરી, એના પર ક્ષાર નાખે છે. છે ગરમગરમ તેલથી નવડાવે છે.
ભઠ્ઠીમાં ભેજી નાખે છે. છે ભાલાની અણી પર પરોવે છે. છે પાણીમાં નાખીને પીસે છે.
કરવતથી વેરી નાખે છે. છે અગ્નિ જેવી ગરમગરમ રેતી પર ચલાવે છે.
વાઘ, સિંહ જેવાં પશુનાં રૂપ કરી કદર્થના કરે છે. છે કૂકડાઓની જેમ અરસપરસ લડાવે છે. - તલવારની ધાર જેવા અસિપત્રનાં વનમાં ચલાવે છે. છે હાથ-પગ, કાન, હોઠ, છાતી, આંખો વગેરે છેદી નાખે છે.
કુંભમાં નાખીને જ્યારે નારકીના જીવોને પકાવવામાં આવે છે, ત્યારે અતિ દારુણ યાતનાથી તે નારકીઓ ૫૦૦ યોજન સુધી ઊંચા ઊછળે છે, અને જ્યારે
ભાગ-૩ ૪ ભવ સાતમો
૧૩૦
For Private And Personal Use Only