________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧]
અમરેશ્વર આચાર્યદેવે ફરમાવ્યુંઃ હે મહાનુભાવો, તમે મોહનિદ્રાનો ત્યાગ કર્યો.
ૐ ધર્મમાં આદર કરો.
* ૧૮ પાપસ્થાનોનો ત્યાગ કરો.
* ક્ષમા આદિ ગુણોનો સ્વીકાર કરો,
* પ્રમાદનો ત્યાગ કરો,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમાદ બહુ મોટો ભાવશત્રુ છે. જીવ જ્યારે પ્રમાદને આધીન બને છે, ન બોલવાનું બોલે છે ને ન આચરવાનું આચરે છે... તેથી પ્રગાઢ પાપકર્મ બાંધે છે. એ પાપકર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આ ‘વિની’ અને ‘અરુણદેવ' ની જેમ ઘોર કષ્ટ પામે છે. આ બંને, પૂર્વેના ભવમાં માતા-પુત્ર હતાં. દેવિની ‘ચન્દ્રા’ નામની વિધવા માતા હતી અને આ ‘અરુણદેવ’ એનો ‘સ્વર્ગ’ નામનો પુત્ર હતો. તેમણે પરસ્પર તીવ્ર ક્રોધ કરીને, જે કઠોર વચનો કહેલાં, એનું આ ફળ છે. એકના હાથ કપાયા, એકને શૂળી પર ચઢવું પડ્યું. એ તો પાછળથી એ બંનેએ ચારિત્રધર્મનું પાલન કરેલું, તેના પ્રભાવે તેઓ દેવલોકમાં ગયા અને ત્યાંથી ચ્યવીને સારા-સમૃદ્ધ પરિવારોમાં જન્મ્યાં.
દેવિનીને અને અદેવને મૂર્છા આવી ગઈ. ઉપચારો કરવાથી મૂર્છા દૂર થઈ. બંનેને ‘જાતિ-સ્મરણજ્ઞાન‘ થયું. પૂર્વજન્મ સ્મૃતિમાં આવી ગયો. અણ્ણદેવે આચાર્યદેવને કહ્યું:
‘ભગવંત, આપે અમારો પૂર્વજન્મ કહ્યો તે, તે પ્રમાણે જ છે. અમને બંનેને અમારા પૂર્વજન્મોની સ્મૃતિ થઈ છે. અમને આપની કૃપાથી જિનોક્ત ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ છે.'
કર્મપરિણતિનો વિચાર કરતાં, એ બંનેનું આર્તધ્યાન દૂર થયું. બંનેને આ સંસારવાસ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે આચાર્યદેવને કહ્યું:
‘ભગવંત, અમારી ઈચ્છા ‘અનશનવ્રત’ કરવાની છે. અમને અનશનનાં પચ્ચક્ખાણ કરાવો. અમારા જન્મ-જરા-મરણ તથા રોગ-શોકના ભય ટાળવા કૃપા કરો.’ આચાર્યદેવે કહ્યું: ‘હે ભાગ્યવાનો! તમારી આ અવસ્થામાં અનશનવ્રત કરવું જ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૧:
For Private And Personal Use Only