________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“હાજી, મહારાજકુમાર! પરંતુ કૃપા કરીને મને “તું” કહીં ને બોલાવશો. મને આનંદ થશે.'
તારું નામ?” મને લોકો “અમરગુરુ' કહે છે.' મંત્રીપુત્રને પોતાના આસન પર બેસાડ્યો. અમરગુરુ, કહે, પિતાજી અને માતાજી કુશળ છે ને?”
અમરગુરુની આંખો ભીની થઈ ગઈ. તે જમીન તરફ જોવા લાગ્યો. કુમાર ચિંતિત થયો. અશુભની આશંકા થઈ. “શું વાત છે અમરગુરુ?”
મહારાજ કુમાર, આપના ગયા પછી, મહારાજાએ આપની બંનેની ખૂબ શોધ કરાવી. આપ ના મળ્યા. ઓહો.... મહારાજા હરિજેણે અને મહારાણી તારપ્રભાએ શું કલ્પાંત કર્યો છે. કુમાર, શું કહ્યું? આખો રાજમહેલ રડ્યો છે એ દિવસે -- આખા નગરમાં ઉદાસીનતા ફેલાઈ ગઈ. બધાં બજારો બંધ થઈ ગયાં.
મહારાજા-મહારાણીએ એક મહિના સુધી રાહ જોઈ. આપ ના આવ્યા. તે બંનેએ ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો. આપના વિના તે બંને અતિ વ્યથિત હતાં, મહારાણી તો ક્ષણે ક્ષણે આપનું નામ લઈને પૂછતાં હતાં: “મારા સેનના સમાચાર આવ્યા?'
બંનેનો વૈરાગ્ય વધે જતો હતો. છેવટે વિશાળ પરિવાર સાથે તેઓએ દીક્ષા લીધી. રાજસિંહાસન પર વિણકુમારનો રાજ્યાભિષેક કરી દીધો.
એ બહું સારું કર્યું પિતાજીએ હે અમરગુરુ, કુમારને રાજા બનાવીને, પિતાજીએ દીક્ષા લીધી, એ વાત મને વધારે ગમી છે. અમારા કુળનો આ રિવાજ છે; કે રાજ્યભાર ઉપાડનાર યુવરાજ તૈયાર થઈ જાય એટલે રાજ્ય યુવરાજને સોંપીને, રાજા દીક્ષા ગ્રહણ કરે.”
મંત્રીપુત્રે કહ્યું: “આપની વાત બરાબર છે.” કુમારે પૂછયું: “અમરગુરુ, એ તો કહે કે પ્રજા સાથે કુમાર સારી રીતે વર્તે છે ને?'
મહારાજ કુમાર, મહારાજા હરિણે દીક્ષા લીધા પછી, આપની ગેરહાજરીમાં પ્રજા જાણે નેતા વિનાની બની ગઈ છે. પ્રજા ખરેખર પીડાય છે. વિષેણકુમારે સામંતોને અપમાનિત કર્યા છે. તે પ્રજાને પીડી રહ્યાં છે. ઉચિત આચારોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. લોભને અગ્રસ્થાન આપેલું છે.
મંત્રીપુત્ર, હમણાં થોડા દિવસ અહીં રહો.” કુમારે શાન્તિમતીને આજ્ઞા કરી: મંત્રીપુત્રની ઉચિત પરોણાગત કરો.”
એક
ર
સક
૧0૮
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only