________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા સમરકેતુને ખબર પડી કે સાર્થવાહપુત્ર સાનુદેવનો સાર્થ અરણ્યમાં પડ્યો છે. તેમણે તરત જ સાનુદેવને બોલાવીને કહ્યું: “વત્સ, તારો સાથે અરણ્યમાં પડેલો છે, એ વાત મેં આજે જાણી. હવે વર્ષાકાળ નજીક છે, માટે તારે શીધ્ર સાર્થને તામ્રલિપ્તી પહોંચાડી દેવો જોઈએ. સેનકુમાર હવે મારી પાસે છે. તારે એની ચિંતા કરવી નહીં. અને રાજકુમારી શાન્તિમતીની શોધ કરવા મારા માણસો ગયા છે. હું એને પાતાળમાંથી પણ શોધી કાઢીશ.
સાનુદેવની આંખો ભીની થઈ ગઈ. તેણે ગળગળા સ્વરે કહ્યું: ‘મહારાજા, રાજકુમારને છોડીને જવા માટે મારા પગ ઊપડતા નથી. આપની વાત સમયોચિત છે, પરંતુ...”
સાનુદેવ, ચાલ હું કુમાર પાસે આવું છું. ત્યાં આપણે વાત કરીએ. આમેય મારેય એ બંનેની કુશળતા પૂછવા જવું જ હતું.'
સાનુદેવ સાથે મહારાજા કુમારના ખંડમાં આવ્યા. કુમારે અને પલ્લીપતિએ બે હાથ જોડી મહારાજાનું અભિવાદન કર્યું. મહારાજા કુમારના પલંગ પાસે ગોઠવાયેલા ભદ્રાસન પર બેઠા. કુમારને માથે હાથ મૂકીને કુશળતા પૂછી.
આપના આશીર્વાદથી જલદી સારું થઈ જશે! આપ અને મહેલનો પરિવાર અમારી ખૂબ કાળજી રાખે છે.”
‘કુમાર, આ સાનુદેવને હવે તામ્રલિપ્તી જવા કહું છું, એનો સાર્થ અરણ્યમાં પડ્યો છે. હવે વર્ષાકાળ નજીક છે. પણ સાનુદેવ તમને છોડીને જવામાં રાજી નથી.” કુમારે સાનુદેવ સામે જોયું સાનુદેવ જમીન ઉપર દૃષ્ટિ સ્થિર કરીને ઊભો હતો. કુમાર પલંગમાં સૂતેલો હતો. કુમાર બોલ્યો: “સાનુદેવ, મહારાજાની વાત માનો.' ‘કુમાર, તમને છોડી જતાં મન નથી માનતું.”
તો મને દુઃખ થશે. તમારે સાર્થની ચિંતા કરવી જોઈએ. તમારે ભરોસે આવેલા લોકોને અરણ્યમાં ક્યાં સુધી રાખશો? વર્ષાકાળમાં એ બધાનું શું થશે? માટે તમે કર્તવ્યનિષ્ઠ બનો. ફરી પાછા મળીશું. આપણો પ્રેમ નષ્ટ નથી થવાનો.' - સાનુદેવે કહ્યું: “ભલે, મને તમારી વાત માન્ય છે. કુમાર, જ્યારે રાજપુર આવો, જરૂર મળજો.”
સાનુદેવે મહારાજાનાં ચરણોમાં પ્રણામ કર્યા. કુમારને પ્રણામ કર્યા. પલ્લીપતિ પાસે જઈ, પલ્લીપતિનો ખૂબ ખૂબ આભાર માન્યો... ને તે રાજમહેલમાંથી નીકળી ગયો. પોતાના સાર્થના યુવાનો સાથે, ઘોડા પર બેસીને, તે અરયમાં ગયો. સાથે ખુશ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૮૫
For Private And Personal Use Only