________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી છે. દેવયોગે એ એના પતિથી વિખૂટી પડી ગઈ હતી. તે જંગલમાં પ્રાણત્યાગ કરવા તૈયારી કરતી હતી. ભાગ્યયોગે ત્યાં અમારા એક મુનિકુમાર જઈ ચઢ્યા. તેમણે એને બચાવી, સમજાવી અને તપોવનમાં એને લઈ આવ્યા. મુનિકુમારે તપોવનના કુલપતિને સોંપી. કુલપતિએ શાન્તિમતીને ખૂબ આશ્વાસન આપીને કહ્યું: “ધીરજ રાખ. આ જ તપોવનમાં તારો પતિ આવશે અને અહીં જ એનો સમાગમ તને થશે.
આજે તે કુલપતિની આજ્ઞાથી પુષ્પ-ફળ વગેરેનો પૂજાનો સામાન લેવા વનમાં ગઈ હતી. અમે સહુ એની સાથે હતાં. વળતી વખતે અહીં અમે વિસામો લેવા બેઠાં હતાં અને એને અણધારી મૂર્છા આવી ગઈ છે! કેમ એ મૂછિત થઈ ગઈ તેનું કારણ અમે જાણતા નથી. અમે પવન નાખ્યો, પાણી છાંટ્યું, છતાં એ હોશમાં ન આવી, એટલે અમે રડી પડ્યાં.” - કુમારનો અવાજ સાંભળીને, શામિતીએ આંખ ખોલીકુમારે શાન્તિમતીને જોઈ. બંનેની આંખો મળી. શાન્તિમતી શરમાઈ ગઈ અને બેસી ગઈ. કુમારે કહ્યું:
“હે સુંદરી, લાની કુલપતિનાં વચનો ખોટાં ન પડે. તેઓ વચનસિદ્ધ મહાપુરુષ છે. કુલપતિના વચન મુજબ તમારા મનોરથ પૂર્ણ થયા છે. હવે ચાલો, આપણે તપોવનમાં જઈએ. કુલપતિને આ વાત જણાવીએ. તેઓ નિષ્કારણ-વત્સલ છે. આ વાત જાણીને તેમને સંતોષ થશે.”
શાન્તિમતી ઊભી થઈ અને તપોવન તરફ ચાલવા લાગી. તાપસીઓએ આપસમાં ગણગણાટ કર્યો: “જરૂર આ પુરુષ જ શક્તિમતીનો પતિ દેખાય છે. નહીંતર આ પ્રમાણે કેમ બોલે કે કુલપતિનાં વચનો ખોટાં ન જ પડે! કુલપતિના કહેવા મુજબ શાન્તિમતીને એનો પતિ મળી ગયો! કેવો સુંદર છે! જેવી શાન્તિમતી છે એવો જ એનો પતિ છે! સરખે સરખે જોડી મળી છે!'
દૂર ઊભેલા પલ્લીપતિએ, આનંદાશ્રુથી પૂર્ણ આંખોવાળી અને રોમાંચિત શરીરવાળી શાન્તિમતીને જોઈ. તે ઘણો રાજી થયો. એણે વિચાર્યું. દેવની પત્નીની રૂપસંપત્તિ અપૂર્વ છે. આવા શ્રેષ્ઠ પુરુષને પત્ની પણ શ્રેષ્ઠ જ મળવી જોઈએ ને! મહાપુરુષો પાસે ખરેખર, બધું શ્રેષ્ઠ જ હોય છે!' આમ વિચારીને, તેણે શાન્તિમતીને પ્રણામ કર્યા. તેણે કહ્યું :
સકલ રાજ્યસુખના કારણભૂત એવી દેવની પ્રિયતમાને પ્રણામ કરું છું.' ત્યાર પછી મસ્તક નમાવીને, પલ્લીપતિએ કહ્યું: “આ દેવના સેવકનો સેવક, કે જે નામ લેવા યોગ્ય નથી, તે તમને પ્રણામે છે.”
શાન્તિમતીએ કુમારની સામે જોઈને, ધીમા સ્વરે કહ્યું. “આ પુરુષ માગે તે વરદાન આપો.” કુમાર હસી પડ્યો. તેણે કહ્યું: “સુંદરી, આને તું ઓળખતી નથી. એને વરદાનની કંઈ પડી નથી. એ મારો મિત્ર છે. પલ્લીપતિ છે. અહીં આ જગ્યાએ શ્રી સમરાદિત્ય મહાકથા
40GE
For Private And Personal Use Only