________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું જાઉં છું. તું આમને સાચવજે.” કુમારની પુનઃ પુનઃ ભલામણ કરીને, પલ્લીપતિ ગયો. કુમાર જાગી ગયો હતો. તેણે સાનુદેવ સાથે પલ્લિપતિએ કરેલી વાતો સાંભળી હતી. સાંભળતાં સાંભળતાં એ ગગદ થઈ ગયો.
અહો, ભીલ હોવા છતાં કેવા ઉચ્ચ કોટિના ગુણો એનામાં છે. કેવી એની મહાનુભાવતા છે! સાનુદેવ,” કુમારે સાનુદેવને પોતાની પાસે બોલાવીને કહ્યું: “સાનુદેવ પલ્લીપતિની બધી વાત મેં સાંભળી છે. એની સજ્જનતા જુઓ! એ મારી કેટલી બધી ચિંતા કરે છે? તો આપણે પણ એની ચિંતા કરવી જોઈએ. એ ધાડપાડુઓ સાથે લડવા ગયો છે. હું એની વહારે જાઉં. તું જાણે છે કે યુદ્ધમાં મારી તોલે, ચંપામાં કોઈ ના આવે, સેનાપતિ પણ નહીં! તું અહીં રહેજે.સાર્થને સંભાળજે. કદાચ હું પાછો ના આવે તો તું તામ્રલિપ્તિ તરફ પ્રયાણ કરી દેજે.
સાનુદેવ મૂંઝાયો. એણે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો.
કુમાર બે હાથમાં બે તલવારો લઈને દોડ્યો. એ લગભગ પલ્લી પતિને આંબી ગયો. પલ્લીપતિએ કુમારને જોયો. કુમારની પરોપકાર-પરાયણતા જોઈ, તે હર્ષિત થયો. કુમારને તેણે કહ્યું: “દેવ, તમે ઊભા રહો અને મારું યુદ્ધકૌશલ જુઓ. આ સામે જે મશાલના અજવાળામાં દેખાય છે, એ ધાડપાડુઓ છે. હજુ રાજ્યના સૈનિકો છુપાયેલા છે. તેઓ બહાર આવ્યા નથી. આ ધાડપાડુઓ ઠાકુરો છે. ભીલ-સેના છે. એટલે તેઓ પાછા પડવાના નથી. પણ હું અને મારી ભીલ-સેના, અમે પહોંચી વળીશું.”
અચાનક સનનન કરતી છરી આવી. કુમાર જમીન પર બેસી ગયો. ઘા ચુકાવી દીધો. પલીપતિએ તીર છોડવા માંડ્યાં. ભીલ-સૈનિકોએ પણ તીરો વરસાવવા માંડવા. ધાડપાડુઓને સમજાયું કે આ સાર્થના રક્ષકો નથી! સાર્થ પણ નથી. ભીલસેના છે. એટલે તેઓ પાછા પડવા લાગ્યા.
પરંતુ કોઈની રાહ જોયા વિના કુમાર બે હાથમાં બે કટારી લઈ ધાડપાડુઓની વચ્ચે ઘુસી ગયો. જેવી રીતે ખેડૂત ઘાસ કાપે એ રીતે કુમારે ધાડપાડુઓની લાશો પાડવા માંડી. હરણના ટોળા પર કેવી રીતે સિંહ તૂટી પડે એ રીતે કુમાર ધાડપાડુઓ પર તૂટી પડ્યો. પલ્લિપતિ જોઈ રહ્યો હતો. સૂર્યોદય થઈ ગયો હતો.
ધાડપાડુઓએ સામે ઊભેલા મહાકાળ જેવા પલ્લીપતિને અને ભીલ-સૈનિકને ઊભેલા જોયા. કુમારે લગભગ ૨૦-૨૫ ધાડપાડુઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા. ધાડપાડુઓ ભાગવા માંડ્યા. પલિપતિએ મોટેથી બૂમ પાડીને, કુમારને પાછો બોલાવી લીધો.
કુમાર ગજબ કરી દીધો તમે તો! અદભુત પરાક્રમ છે તમારું.” ભીલ-સૈનિકોએ વાનરની જેમ ચિચિયારીઓ પાડવા માંડી અને નાચવા માંડ્યું. પરંતુ ત્યાં જ વિશ્વપુરના શ્રી સમરાદિત્ય મહાકથા
૧૦૮૧
For Private And Personal Use Only