________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. એને એને પિતૃગૃહે મોકલી દેવી જોઈતી હતી. મેં એને સાથે રાખીને, ઘણી મોટી ભૂલ કરી છે.
એ તો પુણ્યનો થોડો ઉદય છે કે સાનુદેવ જેવો ગુણવાન મિત્ર મળી ગયો છે અને પલ્લીપતિ જેવો ખૂંખાર ભીલ-પતિ વિશ્વાસપાત્ર સેવક બનીને રહ્યો છે. બાકી તો આ ભીલ લોકો! ક્યારે હલ્લો કરીને મારી નાખે, તે કહેવાય નહીં પરંતુ આ પલ્લીપતિને મારા પ્રત્યે સાચો પ્રેમ જાગ્યો છે. શાન્તિમતીને શોધવા માટે એ અને એના માણસો કેટલું બધું રખડ્યા છે!”
આ પ્રમાણે વિચારો કરતાં કરતાં એ ઊંઘી ગયો. * સાનુદેવ પણ નિર્ભય બનીને ઊંઘતો હતો. - પલ્લીપતિ અને એના માણસો ઘસઘસાટ ઊંઘતા હતાં. રાત્રિનો છેલ્લો પ્રહર શરૂ થયો હશે. ત્યાં ચોકીના બે ભીલ-સૈનિકો, પલ્લીપતિને જગાડતા હતા.: “હે સ્વામી, જાગો... જાગો.”
પલિપતિ બિછાનામાં બેઠો થઈ ગયો. “શું છે? કેમ મને જગાડ્યો?
સંનિકોએ કહ્યું: “સ્વામી, અમે અનુમાન કરીએ છીએ કે આ અરણ્યમાં કોઈ મોટા સાથે પ્રવેશ કર્યો છે. એ જાણીને બે પર્વતની વચ્ચેની ખીણમાંથી બીજા બે પલ્લીપતિ બહાર આવ્યા લાગે છે. સાથે લગભગ પાંચસો શસ્ત્રસજ્જ માણસો છે.
આટલા બધા ધાડપાડુઓનો સામનો કરવા, સાર્થની રક્ષા કરવા, વિશ્વપુરના રાજાએ પોતાના મોટા સૈન્યને મોકલ્યું છે. ધાડપાડુઓ તેમની રીતે અરણ્યમાં ગોઠવાયા છે. રાજાના સૈનિકો એમનો વ્યુહ રચીને, ગોઠવાયા છે. અમે આપણી ચોકીમાં જાગ્રત બેઠા છીએ.
પલ્લીપતિ ઊભો થયો. તેણે હાથમાં ધનુષ્ય લીધું. ખભે તીરોનો ભાથો લટકાવ્યો. કમરમાં બે છરા છુપાવ્યાં અને તે ધીમે પગલે, જ્યાં કુમાર અને સાનુદેવ સૂતા હતાં ત્યાં આવ્યો. સાનુદેવ જાગી ગયો. પલ્લીપતિએ સાનુદેવને પોતાની પાસે બોલાવીને કહ્યું: ‘તું આપણા સ્વામીની કાળજી રાખજે. મારે અરણ્યના પ્રવેશસ્થળે જવું છે. બીજા ધાડપાડુઓ આવ્યા છે. મોટો સાથે આવે છે અને વિશ્વપુરની સેના આવે છે. ધાડપાડુઓ સાર્થને લૂંટવા માટે આવે છે. સેના સાથેની રક્ષા માટે આવે છે. ધમાલ મોટી થવાની. હું ત્યાં જ. અહીંથી ચાર-છ માઈલ દૂર એ બધું પતાવવા માગું છું. અહીં કુમાર અને તારો સાથે સલામત રહે એવી મારી ઈચ્છા છે. હું આવનાર સાર્થને આ રસ્તે નહીં આવવા દઉં; એને બીજા રસ્તે વાળીશ. ધાડપાડુઓ, મારા ખ્યાલ મુજબ, અરણ્યમાં સાથે પ્રવેશે કે તરત જ ધાડ પાડશે.... અને ત્યાં જ વિશ્વપુરની સેના એ ધાડપાડુઓ પર ત્રાટકશે!'
૧૦૮૦
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only