________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે વત્સ, તું મારી સાથે તપોવનમાં ચાલ, કુલપતિના દર્શન કરીને કૃતાર્થ થા. તપોવનમાં, કુલપતિના સાન્નિધ્યમાં તે નિર્ભય રહીશ.”
શાન્તિમતી સ્વસ્થ થઈ. તેણે ઋષિકુમારને કહ્યું: “હે દેવ, આપની આજ્ઞા મને સ્વીકાર્ય છે. હું આપની સાથે તપોવન આવું છું.'
પૃથ્વી પર અંધકાર ઊતરી આવ્યો હતો. ઋષિકુમાર આગળ અને શાન્તિમતી એમની પાછળ ચાલવા લાગી. ઋષિકુમારે શાન્તિમતીના શરીરનાં લક્ષણો કહી બતાવ્યાં, પણ એકે દર્શન એમના મનને વિકારી ના બનાવી શક્યું. સાધના દ્વારા તેમણે ઈન્દ્રિયવિજય કર્યો હતો. દૃશ્યની અસર તેમના નિર્મળ મન પર થતી ન હતી. શરીરનાં રૂપ-રંગની અસારતાનું ભાન, તેઓને અનાસક્ત રાખતું હતું.
અંધારી રાત અને જંગલનું એકાંત! વાસનાને ભભૂકવા માટે બીજું શું જોઈએ યુવાન પુરુષને? અલબતુ, શાન્તિમતી પણ મહાસતી હતી, સિવાય સેનકુમાર, બીજા કોઈ પુરુષ પ્રત્યે એના મનમાં પણ વાસના જાગી ન હતી. એ એની મહાનતા હતી.
બંને શુભ ભાવોમાં હતા. જ એકના હૃદયમાં વાત્સલ્ય હતું, કારુણ્ય હતું. ક બીજાના હૃદયમાં શુદ્ધ ભક્તિ હતી. * તેઓ બંને તપોવનનાં દ્વારે આવ્યાં. ઋષિકુમારે કહ્યું.
હે યુવરાજ્ઞી, આપણે તપોવનમાં આવી ગયાં છીએ. સર્વપ્રથમ હું તને તપોવનના કુલપતિ પાસે લઈ જઈને, તાર સંક્ષિપ્ત પરિચય આપું છું.”
શાન્તિમતી તાપસકુમારને અનુસરી. તેને તપોવનનું વાતાવરણ ખૂબ ગમ્યું. કુલપતિ પાસે જઈને, શાન્તિમતીએ ભાવપૂર્વક પ્રણામ કર્યા. તાપસકુમારે સંક્ષેપમાં શાન્તિમતીનો પરિચય આપ્યો. કુલપતિ જ્ઞાની હતા. ભવિષ્યને જોઈ શકતા હતા. તેમણે આશ્વાસન આપતા કહ્યું: “હે વત્સ, તું સંતાપ ના કરીશ. તારો પ્રિયતમ જીવંત છે ને આ જ આશ્રમમાં તેનો સમાગમ થશે!”
શાન્તિમતી નિશ્ચિત થઈ ગઈ.
:
૧૦૭૮
ભાગ-૩ ૪ ભવ સાતમો
For Private And Personal Use Only