________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જગ્યામાં પહેલેથી જ, કુમારે પોતાના માણસો દ્વારા ખાવાપીવાની અને આરામ કરવાની બધી સગવડતા કરાવી રાખી હતી. શાન્તિમતીને એ બધું જોઈને, ખૂબ આશ્ચર્ય થયું. તેણે કુમાર સામે જોયું. કુમારે હસીને કહ્યું: “ગઈકાલે જ બધી વ્યવસ્થા કરાવી રાખી હતી!” આપણે આજે સાંજ સુધી અહીં રહેવું છે ને!'
રાત પડે એ પહેલાં નગરમાં પહોંચી જવાની આજ્ઞા છે માતાજીની!'
ભલે, એમ કરીશું.” કુમાર આટલું બોલીને, એકદમ ચૂપ થઈ ગયો. ઘાટની નિરવ શાંત્તિમાં.. એને માણસોનો ધીમો ધીમો ગણગણાટ સંભળાયો.” હશે કોઈ મુસાફરો.' એમ મન મનાવીને, તેણે શાન્તિમતી સાથે પ્રેમાલાપ શરૂ કર્યો.
પરંતુ એકાદ કલાક પણ નહીં વીત્યો હોય... ત્યાં સનનન... કરતી એક છરી આવી. કુમારે કુશળતાથી ઘા ચુકાવી દીધો એ ઊભો થયો. શાન્તિમતી કુમારની પાછળ આવીને, ઊભી રહી ગઈ. કુમારે પોતાની તરફ આવતા વિષેણને જોયો. તેના
હાથમાં તલવાર હતી. કુમાર થોડો સામે ગયો. તેણે વિણનો હાથ તીવ્ર વેગે પકડીને, મરડી નાખ્યો. તેની તલવાર પડાવી લીધી. બે હાથે તેને જકડી લીધો. છતાં એ દુષ્ટ કમરમાં રાખેલી છરીથી કુમારની ઉપર નાનો ઘા કરી દીધો. કુમારે એના પેટમાં લાત મારી અને તેને જમીન પર પાડી દીધો. પછી વિષેણને કુમારે આસન પર બેસાડ્યો અને પૂછયું:
“વિષેણ, વાત શું છે? શા માટે આવી દુષ્ટ પ્રવૃત્તિ કરે છે? મને મારવા માટે શા કારણે પ્રયત્ન કરે છે? તે જાણે છે કે અત્યારે તને ઉપાડીને, આ ઘાટના દરિયા જેવા પાણીમાં હું તને ફેંકી દઈ શકું છું? પરંતુ મારે એવું કરવું નથી. તું ગમે તેવો હોય છતાં મારો ભાઈ છે... કહે, તારે શું જોઈએ છે?” પણ વિષેણે જવાબ ના આપ્યો. એ ઊભો થઈને, ચાલ્યો ગયો. શાત્તિમતી હેબતાઈ ગઈ હતી.
ક
રક
9090
વિભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only