________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસપાસમાં રોકાયા હશે? મારે રાજકુમારીની કુશળતા તો પૂછવી જોઈએ. કુમારને પણ મળવું જોઈએ. જો તેઓ કોઈ સંકટમાં હોય તો તેમને સહાય પણ કરવી જોઈએ.”
સાનુદેવ ધીરે ધીરે આ ઝાડી તરફ ગયો. પગરવ સાંભળીને, કુમાર સાનુદેવ તરફ જોયું. તે ઊભો થઈ ગયો. સાનુદેવે આવીને પ્રણામ કર્યા, શાન્તિમતીને પણ પ્રણામ કરીને, પોતાનો પરિચય આપ્યો.
‘હું રાજપુરનો નિવાસી છું. તામ્રલિપ્તી જાઉં છું. મારું નામ સાનુદેવ છે. હું સાર્થવાહ છું.”
શાન્તિમતી ચોંકી ઊઠી. તે બોલી “તમે રાજપુરના છો? હું પણ રાજપુરના મહારાજાની પુત્રી છું.”
સાનુદેવે કહ્યું: “હું તમને સારી રીતે જાણું છું અને આ ચંપાનગરીના ગુણનિધાન સેનકુમારને પણ જાણું છું. જ્યારે તેઓ લગ્ન માટે રાજપુર આવેલા ત્યારે મેં એમને જોયેલા! અહીં અચાનક જ ભવિતવ્યતાના કારણે આપનાં દર્શન થયાં. પરંતુ મારા મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા છે. હું આપને દુઃખ ના લાગે તો પૂછું.”
કુમારે કહ્યું: તમે પૂછો. દુઃખ લાગવાને કોઈ કારણ નથી. તમે મોટા વેપારી છો, વિનયી છો, વિવેકી છો!'
સાનુદેવે પૂછયું: “આપની સાથે નોકરો નથી, હાથી નથી કે અન્ય નથી. આપ બંને એકાકી કેમ?'
બીજો પ્રશ્ન પૂછો. કુમારે પ્રસન્નવદને કહ્યું. “શું ચંપાપતિ મહારાજા હરિણે આપને દેશપાર કર્યા છે? એ વાત સંભવિત નથી. મેં તો સાંભળ્યું છે કે મહારાજા પોતાના પુત્રને બદલે આપને પોતાના ઉત્તરાધિકારી બનાવવાના છે. તો આપ આ રીતે એકાકી કેમ?'
ત્રીજો પ્રશન પૂછો.” કુમારે શાન્તિમતી સામે જોઈને કહ્યું.
શું આપ કોઈ કારણવશ નિર્વેદ પામીને. કોઈને કહ્યા વિના નગરમાંથી નીકળી ગયા છો?'
‘કુમારે કહ્યું: ‘હું પણ તાપ્રલિપ્તી આવું છું. એટલે માર્ગમાં ક્યારેક તમને અમારો વૃત્તાંત સંભળાવીશ.”
ક
રોફ
ર.
1099
ભાગ-૩ + ભવ સાતમો
For Private And Personal Use Only