________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Lઉપકા
મહારાજા હરિપેણ ત્યાંથી સીધા અંતઃપુરમાં મહારાણી તારપ્રભા પાસે ગયા. અંતઃપુરમાં મહારાણીને બધા સમાચાર મળી ગયા હતા. તે અત્યંત વિહ્વળ હતાં. મહારાજાના ત્યાં જતાં જ મહારાણીએ પૂછ્યું:
સેનકુમારને કેમ છે? એનો ખભો ચિરાઈ ગયો છે શું?” “ના, ખભા ઉપર ચાર આંગળ ઊંડો ઘા થયો છે અને તરત જ વૈદરાજને બોલાવીને પાટો બાંધ્યો છે.” ‘પણ એ ક્યાં છે અત્યારે ?'
એના પર પ્રહાર કરનારા હત્યારાઓ પાસે.” મહારાણીએ દાસીને કહ્યું: ‘જા, પ્રીતમસિંહને જલદી બોલાવી લાવ.” દાસી દોડતી પ્રીતમસિંહ પાસે પહોંચી, ‘તમને હમણાં જ મહારાણી યાદ કરે છે.”
સિંહે કુમારને કહ્યું: ‘જલદી તમારા મહેલમાં જઈને આરામ કરો હવે.” મહેલના રક્ષક સૈનિકોને કડક આજ્ઞા કરી: “કોઈ પણ અજાણ્યા માણસને કે વિષેણને કુમારના મહેલમાં પ્રવેશ ન આપતા. હું થોડી જ વારમાં મહારાણીને મળીને આવું છું.
પ્રીતમસિંહ અંતઃપુરમાં ગયો. મહારાજાને અને મહારાણીને પ્રણામ કરી, તે નીચી દૃષ્ટિએ ઊભો રહ્યો.
સિંહ, બહુ મોટો અનર્થ થઈ ગયો. એ તો સેનકુમાર સાવધાન થઈ ગયો અને એ ચારેયને ભોંયભેગા કરી દીધા. જો કુમાર થોડો પણ ગફલતમાં રહ્યો હોત તો? સિંહની આંખો ભીની થઈ ગઈ.
માતાજી, મારા પ્રમાદના કારણે આમ થયું. જો હું જમવા માટે ઘેર ના ગયો હોત તો હું એ દુષ્ટ બાવાઓને મહેલમાં પ્રવેશ જ ના આપત. હું જ એ લોકો સાથે બધો હિસાબ કિતાબ પતાવી લેત.'
એ દુષ્ટોને સજા કરી કે નહીં?”
ના, સજા તો નથી કરી, ઉપરથી દરેકને ૧૦૦/૧૦૦ સોનામહોરો આપીને કહ્યું : દોષ તમારો નથી, તમને પ્રેરણા આપનારનો છે. જાઓ તમને મુક્ત કરવામાં આવે
ત્યાર પછી કુમારે મને કહ્યું: “આ વાત વિષેણકુમારમાં સંભવતી નથી. શું એ આવું અપયશ આપનારું કામ કરે? લોકો એને ખોટી રીતે બદનામ કરે છે.'
મેં કહ્યું: ‘એ હત્યારાઓ જ વિષેણનું નામ બોલ્યા હતાં. એમને ખોટું બોલવાનું
શ્રી સમરાદિત્ય મહાકથા
૧૪૯
For Private And Personal Use Only