________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે.' કુમારના હૃદયમાં વિષેણ પ્રત્યે સદૂભાવ હતો જ! સેનકુમાર, વિષેણકુમારના પલંગ પાસે જઈને ઊભો રહ્યો:
કુમાર...” વિષેણે કુમાર સામે જોયું. બંને ભાઈઓની દષ્ટિ મળી, પણ વિષેણે તરત પોતાની દષ્ટિ નીચી કરી દીધી.
વિષેણ, કેમ આમ વિષાદગ્રસ્ત બનીને સૂતો છે?' મારી દુર્ભાગ્યદશાને પૂછ.” ‘ચિંતા છોડ બધી, ઊભો થા. આવા ઉચ્ચ વ્યક્તિત્વવાળા પિતાના પુત્ર થવાનું તને ભાગ્ય મળ્યું છે. માટે રાજકુમારને યોગ્ય ક્રિયા કર. પછી આપણે પિતાજી પાસે જઈએ.
મારે નથી આવવું.” તારે આવવાનું છે.” ન આવું તો?”
તને પરાણે લઈ જઈશ! ઊઠ, ઊભો થા. હું તને મારા હાથે આજે સ્નાન કરાવીશ.'
સેનકુમારે પોતાના હાથે વિષેણને સ્નાન કરાવ્યું. એ પછી મલયચંદનનું શરીર પર વિલેપન કર્યું. કે મૂલ્યવાન વસ્ત્રો પહેરવા આપ્યાં. જ સુંદર અલંકારો પહેરાવ્યાં. જ પોતાના હાથે તંબોલ ખવડાવ્યું.
અને તેને લઈ, તે પિતાજી પાસે ગયો. ત્યાં જઈને, વિષેણ નીચી દૃષ્ટિએ ઊભો રહ્યો. સેનકુમારે કહ્યું: “પિતાજીનાં ચરણે પ્રણામ કર, વિષે!” વિષેણે પિતાનાં ચરણે અનિચ્છાએ પ્રણામ કર્યા,
હવે માતાનાં ચરણે પ્રણામ કર.' વિષેણે માતાનાં ચરણે પ્રણામ કર્યા. પરંતુ ઈચ્છાથી નહીં.
મહારાજા-મહારાણીએ વિષેણના માથે હાથ ના મૂક્યો કે આશીર્વાદના બે શબ્દો પણ ના બોલ્યાં.
વિષેણ એકાદ ઘટિકા ત્યાં બેઠો. પરંતુ મૌન રહ્યા પછી એ પોતાના સ્થાને ચાલ્યો ગયો.
એક એક છે
૧૫૪
ભાગ-૩ ( ભવ સાતમો
For Private And Personal Use Only