________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભયંકર શિક્ષા કરી અને કુમારનું મુખ જોવાનું પણ બંધ કર્યું. એ તો પિતાજીના અનુગ્રહથી મેં સજા રદ કરાવી દીધી. નહીંતર કેવો મોર્ટો અનર્થ થઈ જાત! હવે હું પિતાજીને વિનંતી કરીને, કુમારને અહીં બોલાવું.”
સેનકુમારે મહારાજાનાં ચરણોમાં પ્રણામ કર્યા. મહારાજાએ કુમારની કુશળતા પૂછી. કુમારે નમ્ર શબ્દોમાં મહારાજાને કહ્યું: “મારી એક ઈચ્છા છે, જો આપ પૂર્ણ કરો તો મને આનંદ થશે.' “વત્સ, તારી દરેક ઈચ્છાને પૂર્ણ કરવા હું તૈયાર છું.”
તો પિતાજી, વિણકુમારને અહીં બોલાવો. તેને મળવાની મારી તીવ્ર ઈચ્છા છે. અમે ભાઈ ભાઈ ના મળીએ તો જીવવાની મજા ના આવે.
કુમાર, એ કુલાંગારની વાત ના કરીશ.' “પિતાજી, એવા વિચારો મનમાંથી કાઢી નાખો. વિષેણ આવું કાર્ય ના જ કરે.' “વત્સ, તું બહુ સરળ છે. એ તારા જેવો નથી.” “પિતાજી, એના પર અકાર્યનું કલંક લાગ્યું છે. તેથી તે લજ્જા અનુભવે છે. બહાર નીકળી શકતો નથી. વિષાદગ્રસ્ત બનીને, પોતાનાં ઉચિત કાર્યો પણ કરી શકતો નથી. એના ખંડમાં જ બેસી રહ્યો છે. સેનકુમારના શબ્દોમાં વિષેણ પ્રત્યેની સહાનુભૂતિ ટપકતી હતી.
મહારાજાએ કહ્યું: “વત્સ, એ દયાને પાત્ર નથી. એ કૃપાને પાત્ર નથી. ક્યારેય વિષધર ઉપર વિશ્વાસ ના મૂકાય.”
એક વાર એના અપરાધોને ક્ષમા કરી દો.” "ભલે વત્સ, તારી ઈચ્છા છે તો એને બોલાવવા માટે તારા કોઈ અંગત મિત્રને મોકલ.” ‘નહીં પિતાજી, હું જ એની પાસે જઈશ. અને એને બોલાવી લાવીશ.' જેવી તારી ઈચ્છા. ભલે એમ કર.' સેનકુમાર આનંદિત થયો. તે ત્યાંથી સીધો જ વિષેણના ખંડ તરફ ગયો. સિંહની નજર હતી જ. એ પણ સેનકુમારની પાછળ પાછળ ગયો. એવી જગ્યાએ એ ગોઠવાઈ ગયો કે જ્યાંથી વિષેણના ખંડમાં જોઈ શકાય.
સેનકુમારે વિષેણના ખંડમાં પ્રવેશ કર્યો. તેણે મલિન બિછાનામાં પડેલા વિષેણને જોયો. એનાં વસ્ત્રો ગંદા થઈ ગયેલાં હતાં. એના શરીર પર એક પણ અલંકાર ન હતો. એનું શરીર દુર્બળ બની ગયેલું હતું. એનું મોટું કરમાઈ ગયેલા ફૂલ જેવું હતું. એનું ચિત્ત ઉદ્વિગ્ન લાગતું હતું.
સેનકુમાર વિચારે છે: “દોષરહિત વ્યક્તિ પર જ્યારે દોષારોપણ થાય છે ત્યારે એનાં તન-મન શોષાઈ જાય છે. આ કુમારની પણ એટલા જ માટે આ દુર્દશા થઈ શ્રી સમરાદિત્ય મહાકથા
૧03
For Private And Personal Use Only